CAGનો નવો ખુલાસોઃ હવે ખેડુત દેવું માફી સ્કીમમાં ગોટાળો

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ 2011થી માર્ચ 2012માં સરકારી સ્કીમ અંતર્ગત જે 90 હજાર મામલાઓમાં દેવું માફ દર્શાવવામાં આવી છે તેમાંથી લગભગ 20 હજાર મામલા ખોટા છે.
સમાચાર એજન્સીઓએ એહવાલના હવાલાથી જણાવ્યું છે કે આ ખોટા મામલામાં જે ઘનને ખેડુતોનું દેવું તરીકે દર્શાવવામાં આવ્યા છે, તે બેન્કના અધિકારીઓ ચાઉં કરી ગયા છે. માફ કરવામાં આવેલા 34 ટકા ખેડુતોને દેવું માફ કરી દેવામાં આવ્યું હોવાના સર્ટીફિકેટ આપવામાં આવ્યા નથી.
તાજેતરમાં જ્યારે પણ કેગ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તેનાથી મનમોહન સિંહ સરકાર મુશ્કેલીઓમાં મુકાતી આવી છે. 2જી સ્પેક્ટ્રમની હરાજીમાં થયેલા ગોટાળાનો મામલો પણ કેગના અહેવાલના કારણે સામે આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસ પાર્ટીની ઘણી બદનામી થઇ હતી.
આ અહેવાલ બાદ એ રાજાને જેલની હવા ખાવી પડી હતી. એટલું જ નહીં ત્યારબાદ કેગના જ અહેવાલથી કોલસા ખાણોની ફાળવણીમાં થયેલો ગોટાળો પણ દેશ સમક્ષ આવ્યો હતો અને તેના કારણે દેશની તીજોરીને મસમોટું નુક્સાન પહોંચ્યું હોવાનું બહાર આવ્યું હતું.












Click it and Unblock the Notifications
