પીએમ મોદીએ કેમ કહ્યુ - અમરસિંહ બધાનો ઈતિહાસ ખોલી દેશે...
ક્યારેક મુલાયમસિંહ પરિવારની ખૂબ જ નજીક રહી ચૂકેલ રાજનેતા અમરસિંહ હાલમાં ભાજપની નજીક જણાઈ રહ્યા છે.
ક્યારેક મુલાયમસિંહ પરિવારની ખૂબ જ નજીક રહી ચૂકેલ રાજનેતા અમરસિંહ હાલમાં ભાજપની નજીક જણાઈ રહ્યા છે. રવિવારે લખનઉમાં પીએમ મોદીના કાર્યક્રમમાં તે હાજર રહ્યા. રાજનીતિના વિરોધીઓના કોઈ પ્રસંગનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યુ કે અહીં અમરસિંહ બેઠા છે. જે એક એક ઈતિહાસ ખોલીને રાખી શકે છે. મોદીના આ નિવેદન બાદ રાજકીય ગલીઓમાં કયાસ લાગી રહ્યા છે કે આવનારા સમયમાં અમરસિંહ સપા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે?

અમરસિંહ બધાને જાણે છે
રવિવારે યુપીની રાજધાની લખનઉમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં શામેલ થયા હતા. આ દરમિયાન પીએમે મજાક કરતા કહ્યુ કે અમરસિંહ બધાને જાણે છે. પીએમે કહ્યુ કે ઉદ્યોગપતિઓના સાથનો વિરોધ કરનારા પડદા પાછળ તો તેમની સાથે ઘણી મુલાકાતો કરે છે અને સામે આવીને એમનો વિરોધ કરે છે. પહેલા આવુ નહોતુ થતુ કારણકે આજે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે લોકો પહેલા તેમને પડદા પાછળ સપોર્ટ કરતા હતા. બધાને એ ખબર છે કે કયા લોકો કોના વિમાનમાં ફરતા રહ્યા છે. એટલુ જ નહિ પીએમ મોદીએ કહ્યુ કે અમરસિંહને બધુ ખબર છે કે કયા ઉદ્યોગપતિ કોના કોના દરવાજે દંડવત કરે છે. અમરસિંગ એક એક કરીને બધાનો ઈતિહાસ ખોલી શકે છે.

ભગવા કૂર્તામાં જોવા મળ્યા અમરસિંહ
અમરસિંહ અહીં અલગ જ અંદાજમાં જોવા મળ્યા. અમરસિંહે આજે ભગવો કૂર્તો પહેર્યો હતો. અમરસિંગે થોડા દિવસો પહેલા જ સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. સીએમ સાથે મુલાકાત બાદ રાજકીય ગલીઓમામં અમરસિંહ ભાજપમાં શામેલ થવાના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. જો કે અમરસિંહે આને ઔપચારિક મુલાકાત ગણાવીને ટાળી દીધુ હતુ. તમને જણાવી દઈએ કે ગયા સોમવારે સાંજે અમરસિંગ અચાનક લખનઉ પહોંચ્યા અને યોગી આદિત્યનાથને તેમના કાર્યાલયમાં જઈને મળ્યા. આ મુલાકાત બાદ અમરસિંહની ભાજપમા શામેલ થવાની અટકળો પણ તેજ થઈ ગઈ હતી. અમરસિંહ અને મુખ્યમંત્રી આદિત્યનાથની આ મુલાકાતની ખબર પહેલા કોઈને નહોતી. ત્યાં સુધી કે મીડિયાને પણ આની ભનક મુલાકાત લાગી. બાદમાં અધિકૃત સૂત્રોએ પણ મુલાકાતની પુષ્ટિ કરી.

સમાજવાદી પાર્ટીમાંથી તેમને હાંકી કઢાયા હતા
અમરસિંહ મુલાયમસિંહની ઘણ નજીક હતા અને સમાજવાદી પાર્ટીના મોટા નેતાઓમાં તેમની ગણતરી થતી હતી. પરંતુ મુલાયમ યુગ બાદ અખિલેશની આગેવાનીવાળી સમાજવાદી પાર્ટીમાંથી તેમને હાંકી કઢાયા હતા. ત્યારથી જ અમરસિંહ બીજી પાર્ટીઓના દરવાજા સતત ખખડાવી ચૂક્યા છે. વચમાં તેમના કોંગ્રેસમાં જવાના પણ સમાચાર આવ્યા હતા.

નેપાળના પ્રવાસ બાદ સીધા લખનઉ પહોચ્યા હતા
આ પહેલા અમરસિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. તે નરેન્દ્ર મોદીની તુલના ભગવાન કૃષ્ણ સાથે કરી ચૂક્યા છે અને ઘણા સાર્વજનિક પ્રસંગોએ કહી ચૂક્યા છે કે તે ભાજપમાં શામેલ થવાની વિરોધમાં નથી. જાણકારી મુજબ અમરસિંહ નેપાળના પ્રવાસ બાદ સીધા લખનઉ પહોંચ્યા હતા. હાલમાં અમરસિંહ અને મુખ્યમંત્રી યોગીની આ મુલાકાત બાદ રાજકીય ગલીઓમાં કયાસોનું બજાર ગરમ છે.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
