મૉબ લિંચિંગ સામે પીએમ મોદીના પત્ર લખનાર સામે FIR થતા શું બોલ્યા શ્યામ બેનેગલ
મૉબ લિંચિંગની ઘટનાઓ માટે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર 50 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. વળી, કેસ નોંધાયા બાદ ફિલ્મકાર શ્યામ બેનેગલનું નિવેદન આવ્યુ છે.
થોડા મહિના પહેલા દેશના અલગ અલગ ભાગોની જે જાણીતી હસ્તીઓએ મૉબ લિંચિંગ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો તેમની સામે બિહારમાં કેસ નોંધવામાં આવ્યો છે. મૉબ લિંચિંગની ઘટનાઓ માટે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનાર રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અપર્ણા સેન સહિત 50 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. વળી, કેસ નોંધાયા બાદ ફિલ્મકાર શ્યામ બેનેગલનું નિવેદન આવ્યુ છે.

શ્યામ બેનેગલે કહ્યુ કે આ પત્ર માત્ર એક અપીલ હતી, લોકોનો ઈરાદો જે પણ હોય, જે એફઆઈઆર સ્વીકાર કરી રહ્યા છે અને અમારા પર બધા પ્રકારના આરોપ લગાવી રહ્યા છે, આ વાતોનો કોઈ અર્થ નથી બનતો. આ પીએમને અપીલ કરતો પત્ર હતો, આ કોઈ ધમકી કે અન્ય વાત નહોતી જે શાંતિ બગાડે કે સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરે છે. પત્રમાં કહેવામાં આવ્યુ હતુ કે મુસલમાનો, દલિતો અને અન્ય લઘુમતીઓને ભીડ દ્વારા મારી મારીને હત્યા કરવાનુ તાત્કાલિક રોકવુ જોઈએ, અસંતોષ વિના લોકતંત્ર લોકતંત્ર નથી હોતુ, જય શ્રીરામ ભડકાઉ નારો બની ગયો છે.
શ્યામ બેનેગલે કહ્યુ કે આ બાબતનો કોઈ અર્થ નથી બનતો કારણકે ભીડની હિંસાની વધતી ઘટનાઓ પર ચિંતા પ્રગટ કરતા પીએમ મોદીને લખાયેલો ખુલ્લો પત્ર માત્ર એક અપીલ હતી ના કે કોઈ ધમકી. મુઝફ્ફરપુરમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝા તરફથી બે મહિના પહેલા નોંધવામાં આવેલી અરજી પર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીના આદેશ પર આ કેસ નોંધવામાં આવ્યો છે.
ઓઝાનો આરોપ છે કે આ હસ્તીઓએ દેશ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીને કથિત રીતે બગાડી છે. પોલિસે આ બાબતે જણાવ્યુ કે આઈપીસીની સંબંધિત કલમોમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં રાજદ્રોહ, ઉપદ્રવ, શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ધાર્મિક ભાવનાઓને આહત કરવા સંબંધિત કલમો લગાવવામાં આવી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
