ચૂંટણી ઈવીએમ ઘ્વારા જ કરવામાં આવશે: મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈવીએમ મશીનોને બદલે બેલેટ પેપર ઘ્વારા ચૂંટણી કરાવવાનો સવાલ જ પેદા નથી થતો.
મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈવીએમ મશીનોને બદલે બેલેટ પેપર ઘ્વારા ચૂંટણી કરાવવાનો સવાલ જ પેદા નથી થતો. દિલ્હીના એક કાર્યક્રમમાં બોલતા તેમને જણાવ્યું કે અમે ઈવીએમ અને વિવિપેટ ઘ્વારા જ ભવિષ્યમાં ચૂંટણી કરાવીશુ. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ ઈવીએમ હેક કરીને તેમાં ગરબડી કરીને ચૂંટણી પ્રભાવિત કરવાના દાવા પર આવો જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: કેવી રીતે હેક થઈ શકે છે EVM, લંડનમાં અમેરિકન એક્સપર્ટ્સ આપશે ડેમો

બધાને સાંભળવા માટે તૈયાર પરંતુ બેલેટ પેપર નહીં આવે
મુખ્ય ચૂંટણી કમિશનર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈવીએમ અને વિવિપેટ અંગે રાજનૈતિક દળો અથવા બીજા કોઈ પણ પક્ષ માટે આલોચના કરવા અથવા ફીડબેક આપવાના રસ્તા ખુલ્લા છે, તેઓ તેને જોશે પરંતુ કોઈ પણ હિસાબે પાછા બેલેટ પેપર પર નહીં જવામાં આવે. તેમને મશીનમાં કોઈ પણ પ્રકારની ગરબડીની વાત નકારી નાખી.

લંડનમાં ઈવીએમ હેક કરવાનો દાવો કરવામાં આવ્યો
હાલમાં જ લંડનમાં પોતાને સાયબર એક્સપર્ટ કહેનાર સૈયદ સુઝાને દાવો કર્યો કે તેઓ ભારતમાં ઈવીએમ ડિઝાઇન ટીમના સદસ્ય હતા અને ઘણી ચૂંટણીમાં મશીનોમાં ગરબડી કરવામાં આવી છે. આ વ્યક્તિએ ઘણા પત્રકારો સામે દાવો કર્યો કે વર્ષ 2014 લોકસભા ચૂંટણી દરમિયાન મશીનોમાં ગરબડી કરીને તેને ભાજપના પક્ષમાં કરવામાં આવી હતી.
આ એક્સપર્ટે લંડનમાં જે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી તેમાં કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલ પણ હાજર હતા. બીજી બાજુ ભારતીય ચૂંટણી પંચે આ દાવાને નકારી નાખ્યો છે. ચૂંટણી આયોગે સૈયદ સુઝા સામે એફઆઈઆર પણ નોંધાવી છે.

વિપક્ષ બેલેટ પેપર પાછું લાવવા માટે કહી રહ્યું છે
ભાજપને છોડીને ભારતીય રાજનીતિના ઘણા દળો છેલ્લા કેટલાક સમયથી સતત માંગ કરી રહ્યા છે કે ચૂંટણી ઈવીએમ નહીં પરંતુ બેલેટ પેપર ઘ્વારા કરાવવામાં આવે. લંડનમાં એક્સપર્ટ ઘ્વારા કરવામાં આવેલા દાવાને કારણે વિપક્ષી દળોમાં ફરી બેલેટ પેપર ની માંગ ઉઠી છે. સપા, બસપા અને કોંગ્રેસ સહીત ઘણા દળો ઈવીએમ મશીન પર શંકા વ્યક્ત કરી ચુક્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
