કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
લગભગ 600 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમ કેસના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ રાજ્યમંત્રી જનાર્દન રેડ્ડીની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
લગભગ 600 કરોડ રૂપિયાના પોન્જી સ્કેમ કેસના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ રાજ્યમંત્રી જનાર્દન રેડ્ડીની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમના પર મની લોન્ડરિંગ અને મુખ્ય આરોપીઓના પૈસાની ગેરકાનૂની રીતે લેવડ દેવળમાં મદદ કરવાનો આરોપ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડી શનિવારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે પૂછપરછ માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની મોડી રાત 2.30 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી. એટલું જ નહીં પરંતુ તેમને આખી રાત વેટીંગ રૂમમાં બેસાડી રાખવામાં આવ્યા.

રેડ્ડી છેલ્લા ત્રણ દિવસ થી લાપતા હતા, પરંતુ શનિવારે તેમના વકીલો સાથે સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા. અગાઉ, તેમણે જણાવ્યું હતું કે તેમણે આ કેસની તપાસ પૂર્ણ કરવામાં સહાય કરશે કે, તેમણે કશું ખોટું કર્યું નથી. તેમના ભાગીદાર મહફૂઝની અલી ખાન ધરપકડ કરવામાં આવી છે. તેમણે પોલીસ અધિકારી ડેપ્યુટી કમિશનર તપાસ પહેલાં (CCB) એસ ગિરીશને હટાવવા માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો: શિવરાજસિંહથી બમણી અમીર છે તેમની પત્ની, આ નેતાઓની પત્નીઓ પણ કમાણીમાં આગળ
ક્રાઈમ બ્રાંચના સી.પી. આલોકકુમારએ કહ્યું છે કે વિશ્વાસપાત્ર પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રેડ્ડીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: ફરી એકવાર કોંગ્રેસ માટે ચાણક્ય સાબિત થયા ડીકે શિવકુમાર
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
