કેન્દ્ર સરકારે પાણીના અધિકાર અંગે ખરડો તૈયાર કર્યો
આ માટે કેન્દ્ર સરકાર દરેકને પાણીનો અધિકાર ઉપલબ્ધ કરાવતાં એક મહત્વનાં ખરડા પર કાર્ય કરી રહી છે. જેનો ડ્રાફટ સોમવારે રજૂ કરવામાં આવ્યો હતો. નેશનલ વોટર ફ્રેમવર્ક બિલને દરેક નાગરિકને પાણીનો અધિકાર ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રનો પ્રસ્તાવિત આ મહત્વનો ખરડો દરેકને રોજ ઓછામાં ઓછું 25 લીટર પાણી ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ કરે છે.
દરેક નાગરિકને તેની રોજની જરૂરીયાતનું પાણી મળી રહે તે નિશ્ચિત કરવા સરકારે લોકોની રોજની પાણીની જરૂરિયાતનું પ્રમાણ અને તેની કિંમત આર્થિક ધોરણ અનુસાર નક્કી કરવામાં આવશે. આ ડ્રાફ્ટમાં એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે લોકોને ઉપલબ્ધ થવા પાત્ર પાણીની માત્રા રોજની 25 લીટરથી ઓછી ન હોવી જોઇએ. ડ્રાફટમાં જણાવ્યા મુજબ પાણીની માત્રા સંબંધિત સરકાર દ્વારા નક્કી થવી જોઇએ. લોકોને પાણીના અધિકારમાં કેન્દ્ર રાજ્ય સરકારોની જવાબદારી ફિક્સ કરવા માંગે છે.