SCમાં CAAનો સરકારે કર્યો બચાવ, કહ્યુઃ આમાં મૌલિક અધિકારોનુ હનન નથી
CAA કાયદાનો બચાવ કરીને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 129 પાનાનુ શપથ પત્ર જમા કરાવ્યુ છે.
CAA કાયદાનો બચાવ કરીને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 129 પાનાનુ શપથ પત્ર જમા કરાવ્યુ છે. તે શપથ પત્ર સીએએની સંભવિત ન્યાયિક સમીક્ષાના વિરોધમાં ફાઈલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકરા તરફથી તર્ક આપવામાં આવ્યો છે કે આ કાયદા હેઠળ કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા પર અસર નહિ પડે. સાથે જ સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે આ કાયદાની ન્યાયિક સમીક્ષાની સીમા બહુ ઓછી છે કારણકે નાગરિકતા અને આપ્રવાસનનો મુદ્દો સંપ્રભૂ સરકારના કાર્યકારી ક્ષેત્રનો વિષય છે.

તમને જણાવી દઈએ કે કાયદાને સંસદમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પાસ કરવામાં આવ્યો છે અને પરંતુ હજુ સુધી તેને લાગુ કરવામાં આવી શકાયો નથી કારણકે દેશભરમાં આના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યુ છે. લોકો આને ભેદભાવવાળો કાયદો ગણાવી રહ્યા છે. સીએએ કાયદા હેઠળ હિંદુ, સીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને પારસી ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. શરત એ છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના એ જ નાગરિકોને નાગરિકતા આપવામાં આવશે જેમનુ તેમના દેશમાં ધર્મના આધારે શોષણ કરવામાં આવ્યુ છે. આ કાયદામાં આ ત્રણે દેશોના મુસલમાનોને અલગ રાખવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા નાગરિકતા સુધારા કાયદા પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે મને કોઈ પણ દેશ એવો જણાવો જે કહેતો હોય કે દુનિયાના દરેક વ્યક્તિનુ ત્યાં સ્વાગત છે. જયશંકરે કહ્યુ કે દરેક જણ જો નાગરિકતાને જોતા હોય તો તેનો એક સંદર્ભ અને માનક હોય છે. મને એક પણ એવો દેશ બતાવો જે કહેતો હોય કે વિશ્વના દરેક વ્યક્તિનુ ત્યાં સ્વાગત છે. એવુ કોઈ નથી કહેતુ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
