Chandrayaan 3 : 6 વ્હિલ સાથે 27 કિલો વજન, જાણો રોવર પ્રજ્ઞાન સાથે જોડાયેલી ખાસ વાતો
Chandrayaan 3 : આજે ભારત માટે ઘણો ખાસ દિવસ છે. ભારત ચંદ્રયાન 3 લોન્ચ કરીને ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન 3 શુક્રવારના રોજ બપોરે 2 કલાકે 35 મીનિટ પર શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
ભારત સહિત સમગ્ર વિશ્વ આ મિશન પર પોતાની નજરો જમાવીને બેઠું છે, કારણ કે જો આજે ઈસરોનું આ મિશન પૂરુ થાય છે, તો આવું કરનારો ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા રશિયા અને ચીન આ કમાલ કરી ચુક્યા છે. ( What is Rover Pragyan )

ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ચંદ્રયાન 3
- પ્રોપલ્શન મોડ્યુલ
- લેન્ડર મોડ્યુલ
- રોવર
ઉલ્લેખનીય છે કે, આ અંતર્ગત ચંદ્રયાન-3 લોન્ચ થતાની સાથે જ પ્રોપલ્શન મોડ્યુલ લેન્ડર અને રોવરને ચંદ્રની ભ્રમણકક્ષામાં લગભગ 100 કિમી ઉપરની જગ્યા પર છોડી દેશે અને જે બાદ તે સંપર્ક જાળવી રાખવા માટે સતત પરિભ્રમણ કરશે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશે મળશે માહિતી
જમીન પર લેન્ડિંગ થતાંની સાથે જ રોવરને લેન્ડરથી ચંદ્રના દક્ષિણ વિસ્તારમાં ઉતારી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાનો અને તે સપાટીનો વિગતવાર અભ્યાસ કરવાનો છે.
- કેમ રાખવામાં આવ્યું રોવરનું નામ 'પ્રજ્ઞાન'?
- અત્રે ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકોએ રોવરનું નામ ચંદ્રયાન 2 જેવું 'પ્રજ્ઞાન' રાખ્યું છે, આ વખતે તેની પાછળ પણ એક ખાસ કારણ છે.
- 'પ્રજ્ઞાન' શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત ભાષાના શબ્દ પરથી થઈ છે. પ્રજ્ઞાન એટલે બુદ્ધિશાળી અથવા જ્ઞાની.
- 'પ્રજ્ઞાન'નું વજન 27 કિલો છે અને તે સૌર ઉર્જા પર જ ચાલશે.
- આ એક રોબોટિક વાહન છે, જેમાં 6 પૈડા જોડાયેલા છે.
- 'પ્રજ્ઞાન' 500 મીટર દોડી શકે છે અને તેનો સંદેશાવ્યવહાર ફક્ત લેન્ડરથી જ થઈ શકે છે.
- આ રોવર 50 Wની ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરવાની શક્તિ ધરાવે છે.
- તે એક લુનર ડે એટલે કે એક ચંદ્ર દિવસ સુધી કામ કરી શકે છે.
- ઉલ્લેખનીય છે કે, એક ચંદ્ર દિવસ 14 પૃથ્વી દિવસો બરાબર છે.












Click it and Unblock the Notifications
