ચિરાગ પાસવાને પીએમ મોદીનુ કર્યુ સ્વાગત, નીતિશ કુમાર પર કર્યો કટાક્ષ
લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાને એક વાર ફરીથી સીએમ નીતિશ કુમાર પર તગડો વાર કર્યો છે.
પટનાઃ લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાને એક વાર ફરીથી સીએમ નીતિશ કુમાર પર તગડો વાર કર્યો છે. લોજપા અધ્યક્ષે શુક્રવારે પોતાના ટ્વિટમાં પીએમ મોદીનુ બિહારમાં સ્વાગત કરીને સીએમ પર આકરો પ્રહાર કર્યો છે. ચિરાગે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે, 'આદરણીય પ્રધાનમંત્રીજીની આતુરતાથી રાહ જોઈ રહેલ આદરણીય @NitishKumarજીની રાહ આજે ખતમ થઈ જશે. આદરણીય @AmitShahજીના કહી દીધા બાદ કે @LJP4India બિહાર ચૂંટણીમાં એનડીએનો હિસ્સો નથી, નીતિશજીને સાંત્વના ન મળી, હજુ વધુ પ્રમાણપત્ર જોઈએ. આદરણીય @narendramodiજીનુ સ્વાગત છે.'

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ આજથી પોતાના મિશન બિહારનો આરંભ કરવાના છે. પીએમ મોદી આજે સાસારામ, ગયા અને ભાગલપુરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. આ દરમિયન બિહારના સીએમ નીતિશ કુમાર પણ તેમની સાથે મંચ પર હાજર રહેશે. વળી, નવાદા અને ભાગલપુરમાં આજે રાહુલ ગાંધીની રેલીઓ છે જ્યાં તેજસ્વી યાદવ પણ તેમની સાથે મંચ પર રહેશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ચિરાગે સીએમ નીતિશ કુમારની ટીકા કરીને પીએમ મોદીની ખુલીને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે કોઈ પમ મને પીએમ મોદીનુ સમ્માન કરવાથી રોકી નહિ શકે. સીએમ નીતિશ કુમારે પ્રચારનુ પૂરુ જોર મારા અને પ્રધાનમંત્રી વચ્ચેનુ અંતર બતાવવામાં લગાવી દીધુ છે. ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં માહિર મુખ્યમંત્રી રોદ મારી અને ભાજપ વચ્ચે અંતર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારા અને પ્રધાનમંત્રીના સંબંધો કેવા છે, આ મારે પ્રદર્શિત કરવાની જરૂર નથી.

પપ્પા જ્યારથી હોસ્પિટલમાં હતા ત્યારથી લઈને તેમની અંતિમ યાત્રા સુધી તેમણે મારા માટે જે કંઈ પણ કર્યુ તેને હું ક્યારેય નહિ ભૂલી શકુ. હું નથી ઈચ્છતો કે મારા કારણે પ્રધાનમંત્રી મોદીજી મારા કારણે ધર્મસંકટમાં પડે. તે પોતાનુ ગઠબંધન નિભાવે. આદરણીય વર્તમાન મુખ્યમંત્રીને સંતુષ્ટ કરવા માટે મારી વિરુદ્ધ કંઈ કહેવુ પડે તો નિઃસંકોચ થઈને કહે. સાથે જ નીતિશ કુમાર માટે તેમણે કહ્યુ હતુ કે જનતા સામે તેમને કહેવા માટે કંઈ નથી માટે તેમને દરેક જગ્યાએ પીએમ મોદીની જરૂર પડી રહી છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
