રાજ્યસભામાં રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ, પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધ યથાવત
પૂર્વોત્તરમાં ભારે વિરોધ વચ્ચે આજે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવી શકે છે.
પૂર્વોત્તરમાં ભારે વિરોધ વચ્ચે આજે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવી શકે છે. લોકસભામાં પસાર થયા બાદ હવે રાજ્યસભામાં સરકારની કોશિશ રહેશે કે આ બિલ પાસ કરાવવામાં આવે. જ્યારે આ બિલ માટે પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે તો વળી, ભાજપના સહયોગી પક્ષ એનપીપીએ પણ ચેતવણી આપી છે કે જો સરકાર આ બિલ લઈને રાજ્યસભામાં આવી તો તે એનડીએથી અલગ થઈ જશે.

રાજકીય પક્ષોને રાજ્યસભામાં આ બિલના વિરોધનમાં મત આપવાની અપીલ
નાગરિકતા સંશોધન બિલ અંગે મેઘાલયના મુખ્યમંત્રી કૉનરાડ એ સંગમા, મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત ગૃહમંત્રી સાથે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પણ મુલાકાત કરી હતી. મેઘાલયના મુખ્યમંત્રી કૉનરાડ એ સંગમાએ કહ્યુ હતુ કે પૂર્વોત્તરના રાજકીય પક્ષોને રાજ્યસભામાં આ બિલના વિરોધનમાં મત આપવાની અપીલ કરશે.

ભારત રત્ન ન લેવો
અસમમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ભૂપેન હજારિકાના પુત્ર તેજ હજારિકાએ ભારત રત્ન ન લેવાનું કહ્યુ છે જેના કારણે ફરીથી રાજકારણ ગરમાતુ જોવા મળી રહ્યુ છે. જો કે ભૂપેન હજારિકાના ભાઈ સમર હજારિકાએ કહ્યુ કે મને લાગે છે કે ભૂપેન હજારિકને ભારત રત્ન મળવો જોઈએ, તેમને ભારત રત્ન મળવામાં પહેલેથી જ મોડુ કરવામાં આવી ચૂક્યુ છે. જો બિલની વાત કરીએ તો રાજ્યસભામાં સરકાર પાસે બહુમત નથી એવામાં બિલ પસાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

બિલનો વિરોધ
પૂર્વોત્તરના ઘણા રાજકીય પક્ષ અને છાત્ર સંગઠનો સાથે સાથે અન્ય રાજકીય પક્ષોએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. આ પક્ષોએ બિલને રાજ્યસભામાં પસાર ન થવા દેવાની પણ અપીલ કરી છે. આ બિલ હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન મુસ્લિમ લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
