Maharashtra Floor Test: સીએમ એકનાથ શિંદેએ પાસ કર્યો ફ્લોર ટેસ્ટ, મળ્યા 164 વોટ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે (04 જુલાઈ) વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. એકના
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે (04 જુલાઈ) વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. એકનાથ શિંદેને તેમની તરફેણમાં 164 મત મળ્યા હતા. બહુમત માટે 144 મતની જરૂર હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો છે. વિપક્ષની બેન્ચમાંથી વિશ્વાસ મત વિરુદ્ધના મતોની ગણતરી કરવામાં આવશે. વિપક્ષને 99 વોટ મળ્યા છે.

એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્ય દળના નેતા નિયુક્ત
વિધાનસભાના અધ્યક્ષે એકનાથ શિંદેને શિવસેનાના વિધાનમંડળ પક્ષના નેતા તરીકે જાહેર કર્યા છે. ભરત ગોગાવલેને ચીફ વ્હીપ બનાવવામાં આવ્યા છે. વિધાયક દળના નેતા તરીકે શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીની નિમણૂકને ફગાવી દેવામાં આવી છે. ફ્લોર ટેસ્ટ પહેલા રવિવારે રાત્રે એકનાશ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે બેઠક કરી હતી. સીએમ બન્યા બાદ એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ સાથે આ બીજી વખત મુલાકાત કરી હતી.

સીએમ શિંદેએ કહ્યું- કોઈપણ ધારાસભ્ય પર કોઈ દબાણ નથી બનાવવામાં આવ્યું
જો કે, એકનાથ શિંદે માટે આજનો ફ્લોર ટેસ્ટ પડકારરૂપ ન હતો. એકનાથ શિંદેને પહેલાથી જ 50થી વધુ ધારાસભ્યોનું સમર્થન હતું. જ્યારે ભાજપના 106 ધારાસભ્યો હતા. વિધાનસભા સત્ર દરમિયાન એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ ધારાસભ્ય દબાણમાં નથી. જણાવી દઈએ કે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે એકનાથ કેમ્પ દ્વારા ધારાસભ્યો પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

'મહારાષ્ટ્ર ફ્લોર ટેસ્ટમાં 100% જીતશે'
ફ્લોર ટેસ્ટ પહેલા ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રાવસાહેબ પાટીલ દાનવેએ કહ્યું, "આજે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર માટે અંતિમ પરીક્ષાનો દિવસ છે અને અમે આ પરીક્ષા, મહારાષ્ટ્ર ફ્લોર ટેસ્ટ 100% થી જીતીશું."

સંજય રાઉતે કહ્યું- પાર્ટીમાં લોકો આવે છે અને જાય છે
બીજી તરફ સંજય રાઉતે ફ્લોર ટેસ્ટ પહેલા કહ્યું કે પાર્ટીમાં લોકો આવે છે અને જાય છે, દરેક પાર્ટીમાં આવું થાય છે. આપણા લોકો પણ ગયા છે પણ આ લોકો તેમને ચૂંટીને પાછા કેવી રીતે આવશે? આ લોકો શિવસેનાનું નામ અને અમારા કાર્યકરની મહેનતને પસંદ કરીને આવ્યા છે. આ લોકો કોઈ પ્રલોભન કે કોઈ એજન્સીના દબાણને કારણે ત્યાંથી નીકળી ગયા હતા. આ એક કામચલાઉ વ્યવસ્થા છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
