Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચૂંટણી અગાઉ CM નીતિશ કુમારની મોટી જાહેરાત, હવે બિહારના દરેક ઘરને 125 યુનિટ વીજળી મફત મળશે

Bihar Free Electricity: ચૂંટણી વર્ષમાં બિહારના CM નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. CM નીતિશ કુમારે જાહેરાત કરી છે કે હવે 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.

CM Nitish Kumar

CM Nitish Kumar: વાસ્તવમાં CM નીતિશ કુમારે તેમના સત્તાવાર x હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે 'અમે શરૂઆતથી જ દરેકને સસ્તા દરે વીજળી પૂરી પાડી રહ્યા છીએ. હવે અમે નિર્ણય લીધો છે કે 1 ઓગસ્ટ, 2025થી એટલે કે જૂલાઈના બિલથી રાજ્યના તમામ વીજ ગ્રાહકોને 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. આનાથી રાજ્યના કુલ 1 કરોડ 67 લાખ પરિવારોને ફાયદો થશે.' બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે

સરકાર સૌર પેનલનો ખર્ચ ઉઠાવશે

CM નીતિશ કુમારે કહ્યું હતુ કે, 'કુટીર જ્યોતિ યોજના' હેઠળ રાજ્ય સરકાર અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. એટલું જ નહીં, સરકાર બાકીના લોકોને પણ યોગ્ય સહાય પૂરી પાડશે. આ સાથે ઘરેલુ ગ્રાહકોને હવે 125 યુનિટ સુધી વીજળી ખર્ચવાની જરૂર રહેશે નહીં, તેમજ એક અંદાજ મુજબ, આગામી 3 વર્ષમાં રાજ્યમાં 10,000 મેગાવોટ સુધી સૌર ઉર્જા ઉપલબ્ધ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X