CM યોગી આદિત્યનાથ 26 ફેબ્રુઆરીએ વહેંચશે 9055 નિમણૂક પત્રો, યુપીએસસી, પીસીએસ અને યુપી પોલિસના અભ્યર્થી સામેલ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 26 ફેબ્રુઆરીએ પોલીસ, પીએસી અને અગ્નિશામક સેવાના 9 હજાર 55 લોકોને નિમણૂક પત્ર આપશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 26 ફેબ્રુઆરીએ પોલીસ, પીએસી અને અગ્નિશામક સેવાના 9 હજાર 55 લોકોને નિમણૂક પત્ર આપશે. આ કાર્યક્રમ ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં સવારે 10 વાગ્યાથી આયોજિત કરવામાં આવશે. નિમણૂક પત્ર મેળવનાર લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો સંદેશ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ પ્રસંગે ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમજ નાણામંત્રી સુરેશ કુમાર ખન્ના પણ ઉપસ્થિત રહેશે.

નિમણૂક પત્ર મેળવનારમાં પોલીસ ભરતી તેમજ પ્રોન્નતિ બોર્ડ દ્વારા પસંદગી પામેલ નાગરિક પોલીસના ઉપનિરીક્ષક પીએસીના પ્લાટૂન કમાંડર અને દ્વિતીય અગ્નિશામક અધિકારી પણ સામેલ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યમાં બહુ પ્રતીક્ષિત 37000 કૉન્સ્ટેબલ પદો પર ભરતીનુ પણ એલાન કરી શકે છે. ડિસેમ્બરમાં પોલીસ વિભાગે ખાલી પડેલી સંખ્યા વધારવાના સંદર્ભમાં સૂચના જાહેર કરી હતી. ઘણા મહિનાઓથી યુપી પોલીસ કૉન્સ્ટેબલ ભરતી શરુ થવાની રાહ જોવાઈ રહી છે.
આશા છે કે ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી તેમજ પ્રોન્નતિ બોર્ડ તરફથી ટૂંક સમયમાં આ અંગે કોઈ સૂચના જાહેર કરી શકે છે. યુપી પોલીસ તરફથી ભરતી નોટિફિકેશનમાં જાહેર થવા સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઈ શકે છે. એવામાં અભ્યર્થીઓને સલાહ આપવામાં આવે છે કે પોતાના દસ્તાવેજો પહેલેથી જ તૈયાર રાખે જેથી ફોર્મ ભરતી વખતે કોઈ મુશ્કેલી ન આવે.












Click it and Unblock the Notifications
