PM Modi પર BBC ડોક્યુમેન્ટ્રી સ્ક્રિનિંગને લઇને JNU માં લગવામાં આવી રોક, થઇ શકે છે કાર્યવાહી
બીબીસી દ્વારા નરેન્દ્ર મોદી પર બનાવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીને લઇને અનેક સવાલ ઉઠવામાં આવી રહ્યા છે ત્યારે જેએનયુમાં ક્રિનિગ રાખવામાં આવતા પ્રશાસન દ્વારા નહી કરવામાટે કહેવામાં આવ્યુ છએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી વિવાદોમાં છએ. ભારતમાં તેના પ્રસાર પર રોક લગાવામાં આવી છે. એવામાં જેએનયુ આના પર ડોક્યુમેન્ટ્રી સ્ક્રીનિંગ માટે પોસ્ટર છપાવીને એલાન કર્યુ છએ. પરંતુ સ્થિતિને ગંભીરતાથી લેતા વિશ્વવિદ્યાલય પ્રશાસને આ સ્ક્રીનિંગ પર રોક ગલાવી દિધી છે. યૂનિવર્સિટી તરફથી એક નિવેદનમાં બીબીસીની ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિગથી શાંતિ બંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સોમવારે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય પ્રશાસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રીની સ્કિનિંગનું આયોજન જેએનયૂ વિદ્યાર્થી સંઘ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જણાવી દઇએ કે, પીએમ મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી 2002 ગુજરાત હિંસા સાથે ઘટનાઓને દેખાડે છે. આના દ્વારા પીએમ મોદી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં દંગોને કાબુમા લેવાને લઇને સવાલ ઉઠાવ્યા છે.
જેએનયુએ પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે, "એ જાણવા મળ્યુ હતુ કે, વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા જેએનએસયુના નામ પર એક ડોક્યુમેન્ટ્રી India The Modi Questin ની સ્ક્રીનિગ માટે પૈપ્ફલેટ બહાર પાડવામાં આ્યા છે .તેના માટે 24 જાન્યુઆરી 2023 ની રાતે 9 વાગ્યે સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ યૂનિવર્સિટી પ્રશાસનથી અનુમતિ નથી લીધી આ એ વાત પર જોર આપવા માટે છએ કે, આ પ્રકારની પ્રવૃતિથી વિશ્વ વિદ્યાલની સાંતિ અને સદ્દાબ ભંગ થઇ શકે છે." વિવિ પ્રશાસને આગળ જણાવ્યુ હતુ કે, સંબંધિત વિદ્યાર્થી કે વ્યક્તિઓને દ્રદ્ઢતાથી પ્રસ્તાવીક કાર્યક્રમને તુંરંત રદ્દ કરવાની સલાહ આપવામાં આવે છે. જેના નિ્ષ્ફળ જતા વિશ્વવિદ્યાલયના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે.