2 લાખ રૂપિયાનું વળતર એસિડ હુમલાની પીડિતાનું અપમાન : સુષમા
સુષમાએ વધુમાં લખ્યું છે કે 'પ્રીતિ રાઠી પર એસિડ હુમલો અને ત્યાર બાદ તેનું મૃત્યુ દર્દનાખ છે. દુર્ભાગ્યવશ આના માટે જવાદાર વ્યક્તિ હજીએ ફરાર છે.'
ઉલ્લેખની છે કે પ્રીતિ પર 2 મેના રોજ કેટલાક લોકોએ એસિડ ફેંક્યો હતો. એ સમયે તે નવી દિલ્હીથી મુંબઇ પહોંચી હતી. ગરીબ રથ એક્સપ્રેસથી ટર્મિનસ પર ઉતરી રહી હતી. તે મુંબઇમાં સેનાના હોસ્પિટલમાં નર્સની નોકરી કરવા માટે આવી હતી.
આ હુમલામાં તે ખૂબ ખરાબ રીતે ઘાયલ થઇ ગઇ હતી. તેનું મુંબઇમાં એક સ્થિનિક હોસ્પિલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ શનિવારે તે હોસ્પિટલમાં જીવનની સામે હરી ગઇ.
ન્યાયની આશા સાથે મોત સામે જીંદગી હારી ગઇ પ્રીતિ!
મુંબઇ, 3 જૂન : 30 દિવસો સુધી હોસ્પિટલમાં તે મૃત્યુ સામે લડતી રહી. શરીર ઇજાગ્રસ્ત હતુ, શ્વાસ મશીનના સહારે, અને મોઢું બંધ હતું કારણ કે માસ્ક લગાવેલ હતું. ભોજન લઇ શકતી ન્હોતી, કારણ કે ડોક્ટરોએ ના કહી દીધી હતી. આ બધાની વચ્ચે તે એ ક જ સવાલ કરી હતી કે આખરે કોણે મારી આવી દશા કરી? મેં કોઇનું શું બગાડ્યું હતું? તેણે વારંવાર તેના પિતાને એટલું જ પૂછ્યું કે મારો ગૂનેગાર પકડાઇ ગયો? અને આખરે હાર માની હંમેશ માટે પોતાની આંખો બંદ કરી લીધી.