લોકસભામાં ભાજપાને મળશે દસ બેઠકો, હારશે કોંગ્રેસ: કોંગી સાંસદ
વિજયવાડા, 8 ઓક્ટોબર: આ દિવસોમાં દેશભરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તરફેણમાં બની રહેલા માહોલનું સમર્થન કરતા કોંગ્રેસના એક વરિષ્ઠ સાંસદ રાવે જણાવ્યું છે કે જો ભાજપા આંધ્રપ્રદેશના વિભાજનને રોકવાનો સંકલ્પ લેશે તો પાર્ટી રાજ્યમાં 10 બેઠકો જીતવામાં સફળ રહેશે.
તેમનું કહેવું છે કે આજે દેશભરમાં યુવાનો મોદીને વડાપ્રધાન પદ પર જોવા માગે છે. રાવે આંધ્રના વિભાજનનો વિરોધ કરતા જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસના સભ્યપદથી રાજીનામું આપવા માંગે છે.

સીમાંધ્રમાં લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકાર તેલુગુ ભાષી લોકોને 'ભાગલા પાડીને રાજ' કરવા માગે છે. આંધ્ર પ્રદેશથી તેલંગાણાને અલગ કરવાના મુદ્દા પર કેટલાંક લોકો તેના સમર્થનમાં છે તો કેટલાંક તેના વિરોધમાં રહ્યા છે.












Click it and Unblock the Notifications
