દિલ્હીમાં કોંગ્રેસે ફાઇનલ કરી ઉમેદવારોની યાદી, કન્હૈયા કુમારને આ બેઠક પર અપાશે ટિકિટ
Lok sabha Election 2024: દિલ્હીની ત્રણ લોકસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેના સ્તર પર પણ નહીં થઇ શક્યું. હવે ઉમેદવારોની પસંદગીની યાદી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે પહોંચી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેય ઉમેદવારોના નામ તેમની સહમતિ બાદ જ જાહેર કરવામાં આવશે. એવા પણ સંકેતો મળી રહ્યા છે કે, ઉમેદવારોના નામો આશ્ચર્યચકિત થઈ શકે છે.
AAP અને કોંગ્રેસનું ગઠબંધન - આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પરથી ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. AAPને ચાર જ્યારે કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે.
ઉલ્લેખનીય છે કે, AAPએ લગભગ દોઢ મહિના પહેલા તેના ચાર ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે ભાજપે લગભગ એક મહિના પહેલા તેના સાત ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ કોંગ્રેસ તેના ત્રણ ઉમેદવારો નક્કી કરી શકી નથી.
પ્રદેશ કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટિ અને પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની અનેક બેઠકો પછી પણ નામો પર કોઈ સહમતિ બની શકી નથી.

કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, પ્રદેશ કોંગ્રેસે ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત, ચાંદની ચોક બેઠક પરથી પૂર્વ સાંસદ જયપ્રકાશ અગ્રવાલ અને ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠક પરથી પૂર્વ મંત્રી રાજકુમાર ચૌહાણના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી કન્હૈયા કુમાર, ચાંદની ચોક બેઠક પરથી સંદીપ દીક્ષિત અને ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠક પરથી ઉદિત રાજના નામ CECમાં રાખવામાં આવ્યા હતા. જેના કારણે જયપ્રકાશ અગ્રવાલનું નામ હટાવવાની સંભાવના હતી. આને લઈને વિવાદ ઉભો થયો છે, અને નામો નક્કી કરવામાં આવી રહ્યા નથી.
કેટલાક નેતાઓ પક્ષમાં નથી - કોંગ્રેસ પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, કન્હૈયા કુમારને ઉમેદવાર બનાવવાથી જેએનયુમાં નારાબાજી અને ભાજપ છોડ્યા બાદ ઉદિત રાજની હિંદુત્વ વિરુદ્ધની ટિપ્પણીઓને કારણે દિલ્હીમાં ખોટો સંદેશ જશે.
આવી જ રીતે જયપ્રકાશ અગ્રવાલ ચાંદની ચોક બેઠક પરથી ખૂબ જ મજબૂતીથી ચૂંટણી લડી શકે છે, જ્યારે તેમની ટિકિટ કાપવી પણ પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો કન્હૈયાનું નામ હટાવી દેવામાં આવે તો લવલી આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે.
પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનીએ તો હાઈકમાન્ડ પણ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સીઈસીના નામોને જ અંતિમ મંજૂરી આપવામાં આવશે.
જો કોઈ સંજોગોમાં નોર્થ ઈસ્ટ દિલ્હીથી કન્હૈયા કુમારનું નામ હટાવવામાં આવે છે તો પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીને આ સીટ પરથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવી શકે છે.
આવી જ રીતે ચાંદની ચોકમાંથી સંદીપ દીક્ષિતનું નામ હટાવીને જયપ્રકાશ અગ્રવાલને ટિકિટ આપવામાં આવી શકે છે. ઉત્તર-પશ્ચિમ બેઠકમાં ફેરફારની શક્યતા ઓછી જણાઈ રહી છે. આગેવાનોના કહેવા મુજબ હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
