કર્ણાટકમાં કોંગ્રેસે બીજેપી સાથે મોટો ખેલ કરી નાંખ્યો? JDS બીજેપીની પદયાત્રાને સમર્થન નહીં આપે
લોકસભામાં ખરાબ રીતે હાર્યા બાદ બીજેપી માટે લોકોનું સમર્થન સતત ઘટી રહ્યું છે. બીજી તરફ હવે સહયોગી પાર્ટીઓ પણ ઠેંગો દેખાડી રહી છે. આવી જ સ્થિતી કર્ણાટકમાં જોવા મળી છે.
કર્ણાટકમાં ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલી કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારને ભાજપના સહયોગી જેડીએસે ખુશ થવાની તક આપી છે.

પાર્ટીએ 3 ઓગસ્ટથી રાજ્ય સરકાર વિરુદ્ધ ભાજપ દ્વારા પ્રસ્તાવિત પદયાત્રાથી પોતાને દૂર રાખ્યા છે અને કહ્યું છે કે તે નૈતિક સમર્થન પણ નહીં આપે.
કેન્દ્રીય મંત્રી અને જેડીએસના પ્રદેશ અધ્યક્ષ એચડી કુમારસ્વામીએ બુધવારે દિલ્હીમાં નિર્ધારિત કર્ણાટક ભાજપની પદયાત્રાને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો છે.
તેમણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને લોકોની સમસ્યાને કારણ ગણાવ્યું છે. સાથે સાથે તેમણે ભાજપના નેતાઓના વલણ સામે આંગળી ચીંધીને ગઠબંધન પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે.
કુમારસ્વામીએ કહ્યું કે, જ્યારે તે અમને વિશ્વાસમાં લેવા તૈયાર નથી તો અમે શા માટે તેમનું સમર્થન કરીએ? તેઓએ પદયાત્રા અંગે અમારી સાથે કેવું વર્તન કર્યું તે જણાવવું જોઈએ. તેઓ શું હાંસલ કરવા માગે છે? હું ઉદાસી અનુભવું છું, મને પીડા થાય છે.
આ પછી ભાજપ પર પોતાનો ગુસ્સો ઠાલવતા તેમણે કહ્યું કે, કોણ છે પ્રીતમ જે ગૌડા? તેણે જ એચડી દેવગૌડા પરિવારને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે (ભાજપના લોકો) તેને સ્ટેજ પર લાવે છે અને મારી સાથે બેસાડે છે. પેન ડ્રાઈવ (પ્રજ્વલ રેવન્ના કેસમાં)ના વિતરણ માટે કોણ જવાબદાર છે? શું તે (ભાજપ) નથી જાણતા કે હાસનમાં શું થયું? ચૂંટણી ગઠબંધન અલગ છે અને રાજકારણ અલગ છે.
હાલ સુધી એવી તૈયારીઓ હતી કે કુમારસ્વામી પણ ભાજપના નેતાઓ સાથે બેંગલુરુથી મૈસુર સુધીની એક સપ્તાહની પદયાત્રામાં ભાગ લેવાના હતા. મૈસુરમાં 4,000 રૂપિયાના કથિત જમીન કૌભાંડ (મુડા કૌભાંડ) અને આદિવાસીઓ સાથે સંબંધિત વાલ્મિકી કૌભાંડ વિરુદ્ધ આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
રસપ્રદ વાત એ છે કે, મંગળવારે જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પાર્ટીના ટોચના નેતાઓ સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા દિલ્હી ગયા હતા. માત્ર એક દિવસ પછી કુમારસ્વામીનું વલણ નવી રાજકીય અટકળોને જન્મ આપી શકે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
