કોંગ્રેસની કફોડી સ્થિતિ : મુખ્ય વિપક્ષ પણ નહીં બની શકે
નવી દિલ્હી, 16 મે : ભારતમાં અભૂતપૂર્વ રાજકીય સમીકરણ રચાયું છે. જે અનુસાર કોંગ્રેસને બાદ કરતા પ્રથમવાર કોઇ પાર્ટીને સંપૂર્ણ બહુમત મળ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની સ્થિત વધારે ખરાબ થઇ ગઇ છે. કારણ કે કોંગ્રેસ હવે સરકાર બનાવવાથી તો હાથ ધોઇ બેસી છે પણ મુખ્ય વિપક્ષ બનવાનું પણ તેના નસીબમાં નથી.
લોકસભાના નિયમ અનુસાર મુખ્ય વિપક્ષ બનવા માટે કુલ બેઠકોના 10 ટકા બેઠકો આવવી જરૂરી બને છે. આ મુજબ 543 બેઠકોના 10 ટકા એટલે અંદાજે 54 બેઠકો મેળવવી જરૂરી છે. જ્યારે કોંગ્રેસને 50થી વધુ બેઠકો મળે તેવી શક્યતા ઓછી જ છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો જોતા કેન્દ્રમાં મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર રચાશે. ભાજપ અને સાથી પક્ષોને 300થી વધુ બેઠકો મળી રહી છે. જયારે યુપીએને 100નો આંકડો પણ પાર કરવો મુશ્કેલ બની ગયો છે.

મતગણતરીના જોતા કોંગ્રેસને 60ની આસપાસ બેઠકો મેળવી શકે એમ છે. આવી સ્થિતિમાં બંધારણના નિષ્ણાંતો માને છે કે જો કોંગ્રેસ લોકસભામાં કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકોથી ઓછી લાવે તો તે વિપક્ષનું નેતા પદ પણ ગુમાવશે.
બંધારણના નિષ્ણાંતો કહે છે કે લોકસભાના વિપક્ષના નેતા બનવા માટે મુખ્ય વિપક્ષને 10 ટકા બેઠકો મળવી જરૂરી છે. જો વિપક્ષ 10 ટકા બેઠકો ન લાવે તો લોકસભામાં દરેક વિપક્ષે પોતાના નેતાની પસંદગી કરવાની હોય છે પરંતુ તેમને વિપક્ષી નેતાનો અધિકાર અને સુવિધાઓ નથી મળતી.
લોકસભામાં વિપક્ષના નેતાને કેબિનેટનો દરજ્જો મળે છે અને મનાય છે કે તેઓ રેન્કના આધારે પીએમ પછી બીજા નંબરે આવે છે. જો 10 ટકાથી ઓછી બેઠકો આવે તો પછી સંસદમાં તૃણમૂલ અને અન્ના ડીએમકેના પક્ષોના નેતાઓ રાહુલ ગાંધીથી વધુ સક્રિય રહેશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
