For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના ધારાસભ્યનો દાવો, દારૂ પીવાથી કોરોના વાયરસ ખતમ થઈ જશે, દુકાનો ખોલવામાં આવે

કોંગ્રેસના ધારાસભ્યનો દાવો, દારૂ પીવાથી કોરોના વાયરસ ખતમ થઈ જશે, દુકાનો ખોલવામાં આવે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણ જેટલો ફેલાય રહ્યો છે તેટલી જ ગતિએ ભારતમાં આ વાયરસને લઈને ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. અફવા ના ફેલાય તે બાબતે તમામ રાજ્ય સરકારો અલગથી અભિયાન ચલાવી રહી છે. પરંતુ રાજસ્થાનના સાંગોદથી કોંગ્રેસના ધારાસભ્ય ભરત સિંહ કુન્દનપુરનું માનવું છે કે દારૂ પીવાથી ગળાનો કોરોના વાયરસ ચાલ્યો જાય છે. હદ તો એ થઈ ગઈ કે તેમણે આ બાબતે પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો અને કહ્યું કે દારૂની દુકાનો ખોલવામાં આવે.

દારૂથી ગળાનો કોરોના વાયરસ ચાલ્યો જશે

દારૂથી ગળાનો કોરોના વાયરસ ચાલ્યો જશે

ભરત સિંહે પત્ર લખીને કહ્યું કે જ્યારે કોરોના 19નો વાયરસ હાથોને દારૂથી ધોવાથી સાફ થઈ શકે છે તો પીનારના ગળાથી વાયરસ સાફ થશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસના પગલે ચાલલી રહેલ લૉકડાઉનને કારણે દારૂની દુકાનો બંધ છે. દારૂ બદનામ છે, જે હિસાબે કેન્દ્ર સરકાર તેના વેચાણની પ્રદેશમાં ક્યારેય છૂટ નહિ આપે. રાજ્ય સરકાર પણ આના વેચાણનો નિર્ણય નહિ લે. આર્થિક નુકસાનતી રાજ્ય સરકારની કમર ટૂટી રહી છે.

ગેરકાનૂની ધંધા ચાલી રહ્યા છે

ગેરકાનૂની ધંધા ચાલી રહ્યા છે

કોંગ્રેસ ધારાસભ્યએ પત્રમાં કહ્યું કે દારૂ ના મળવાના કારણે આનો ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યા છે. રાજ્યના તમામ જિલ્લામાં લૉકડાઉનના સમય જ્યાં અપરાધીઓમાં ભારે કમી થઈ છે, ત્યાં તેની વિપરીત દેશી દારૂ અને ગેરકાયદેસર દારૂનના ધંધા વધી રહ્યા છે. આ ધંધા કરનારા લોકો માટે તો આ સ્વ રોજગાર યોજના છે. પૈસા કમાવાનો સોનેરી મોકો પણ છે. બજારમાં દારૂની માંગ છે, જે હિસાબે પીનારા આનું સ્વાગત કરી રહ્યા છે. સરકારના ખજાનાને આનું નુકસાન થઈ રહ્યું છે, પીનારાઓના સ્વાસ્થ્યને ખતરો થઈ રહ્યો છે.

સરકારની આવક વધશે

ઝેરીલો દારૂ પીવાના કેટલાય લોકોના મોત થયાં છે અને કેટલાક લોકોની આંખોની રોશની ચાલલી ગઈ છે. આ સમાચારનો હવાલો આપતા કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે રાજસ્થાન સરકારે 2020-21માં સાઢા બાર હજાર કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ લૉકડાઉનને પગલે આ પ્રાપ્ત થતું નથી દેખાતું. સંભવ છે કે સરકાર આના પર એક્સાઈઝ ડ્યૂટી વધારી દે. સરકાર દારૂની દુકાનો કોલી દે તો સારું. દારૂ પીનારાને દારૂ મળશે અને સરકારને આવક પણ થશે.

કોરોનાનો કહેર યથાવતઃ દેશમાં 35000થી વધુ સંક્રમિત, 24 કલાકમાં સૌથી વધુ 1993 નવા મામલાકોરોનાનો કહેર યથાવતઃ દેશમાં 35000થી વધુ સંક્રમિત, 24 કલાકમાં સૌથી વધુ 1993 નવા મામલા

English summary
Congress MLA says drinking alcohol will surely remove virus from the throat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X