કોંગ્રેસઃ ‘મોદીનો નવો નારો - ભગોડોં કા સાથ, લૂટેરોં કા વિકાસ'
ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના નિવેદન બાદ કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસે નાણાંમંત્રી અરુણ જેટલી પર જબરદસ્ત હુમલો કર્યો છે.
ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના નિવેદન બાદ કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસે નાણાંમંત્રી અરુણ જેટલી પર જબરદસ્ત હુમલો કર્યો છે. આ મામલે બપોરે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર અને નાણાંમંત્રી પર નિશાન સાધ્યુ. ત્યારબાદ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સૂરજેવાલાએ મોદી સરકાર પર હુમલો કર્યો. સૂરજેવાલાએ કહ્યુ કે એવુ લાગે છે કે મોદી સરકાર આજકાલ, 'ફ્લીસ, ફ્લાય એન્ડ ટ્રાવેલ એબ્રોડ' ટ્રાવેલ એજન્સી ચલાવી રહી છે. જ્યારે મેહુલ ચોક્સી દેશમાંથી ભાગે છે તો તે પહેલા ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં પ્રધાનમંત્રીજી સાથે જોવા મળે છે.

સૂરજેવાલાએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે જે પણ દેશના પૈસા લઈને ભાગે છે તે પ્રધાનમંત્રી અને નાણામંત્રી સાથે જ કેમ જોવા મળે છે? જ્યારે મોદી સરકાર દેશના પૈસા લૂંટનારાઓને પોતે જ ભગાડી દેશે તો દેશને કોણ બચાવશે? એટલા માટે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીજીએ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યા અને માંગ કરી કે આની તપાસ કરવામાં આવે અને અરુણ જેટલીજી રાજીનામુ આપે. જો જેટલીને માલ્યાએ કહ્યુ હતુ કે તે લંડન જઈ રહ્યા છે તો તેમને રોકવાની કોશિશ કેમ ન કરવામાં આવી?
સૂરજેવાલાએ કહ્યુ કે 16 ઓક્ટોબર, 2015 ના રોજ સીબીઆઈ ધરપકડનો એક આઉટલુક જારી કરે છે પરંતુ ખબર નહિ કોણ એ નોટિસને બદલી દે છે. 28 ફેબ્રુઆરી 2016 ના રોજ દેશની 17 બેંકોએ સુપ્રિમ કોર્ટને જણાવ્યુ હતુ કે માલ્યા દેશ છોડીને ભાગી શકે છે. તેમછતાં સરકાર કોઈ પણ પગલાં લેતી નથી. 17 બેંક જેમના 9000 કરોડ રૂપિયા વિજય માલ્યા દ્વ્રારા લૂંટવામાં આવ્યા તે ઋણ વસૂલી અધિકરણમાં કેસ દાખલ કરે છે. 1 માર્ચના રોજ નાણાંમંત્રીને મળીને 2 માર્ચે 36 સૂટકેસ સાથે વિજય માલ્યા શાનથી ભાગી જાય છે.
સૂરજેવાલાએ કહ્યુ કે મોદીજી અને નાણાંમંત્રીજી, જણાવો કે 9000 કરોડના બેંક ફ્રોડ છતાં અને સીબીઆઈ દ્વારા એફઆઈઆર દાખલ કરાયા છતા વિજય માલ્યાની ધરપકડ કેમ કરવામાં ન આવી? કોના આદેશથી આ 17 બેંકોએ 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી એક ષડયંત્ર હેઠલ કેસ દાખલ ના કર્યો? નાણાંમંત્રીજીના એ જાણતા હોવા છતાં કે બેંકોએ 9000 કરોડનો કેસ કર્યો છે, એ જાણતા હોવા છતા કે વિજય માલ્યા સામે લુકઆઉટ નોટિસ છે નાણાંમંત્રીજી વિજય માલ્યા સાથે મંત્રણા કેમ કરી રહ્યા હતા?
અરુણ જેટલી પર હુમલો કરતા સૂરજેવાલે કહ્યુ કે શું આ કાનૂની અને નૈતિક રીતે યોગ્ય છે કે તેઓ ભાગેડુ સાથે મંત્રણા કરે? મોદી સરકારે વિજય માલ્યાને અબજો ડૉલરનું પેમેન્ટ કેવી રીતે લેવા દીધુ? મોદી સરકાર એક તરફ ભાગેડુની મદદ કરે છે અને બીજી તરફ રાજકોષને ચૂનો લગાવતા રહે છે. એક જૂઠ છૂપાવવા માટે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ 100 જૂઠ બોલી રહ્યા છે. મોદીજીનો નવો નારો છે - 'ભગોડોં કા સાથ, લૂટેરોં કા વિકાસ' બધુ મોદીજીની દેખરેખમાં થાય છે. ના તો સીબીઆઈ રોકે છે ના તો પોલિસ. ના વિદેશ મંત્રાલય પકડે છે અને ના તો નાણાં મંત્રાલય. આને જ તો કહેવાય જ્યારે મોદીજી ચોકીદાર છે તો કોનો ડર!
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
