ગઠબંધન અંગે અખિલેશના એલાન પર કોંગ્રેસની ચેતવણી, અમને નજરઅંદાજ કરવા ખતરનાક ભૂલ
લોકસભા ચૂંટણીને જોતા સપા અને બસપાએ સાથે આવવાનો નિર્ણય કર્યો છે જેની અધિકૃત ઘોષણા આજે થઈ શકે છે. વળી, આ ગઠબંધનથી કોંગ્રેસને દૂર રાખવાના સમાચારો છે.
લોકસભા ચૂંટણીને જોતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ પરસ્પર કડવાશ ભૂલીને સાથે આવવાનો નિર્ણય કર્યો છે જેની અધિકૃત ઘોષણા આજે થઈ શકે છે. વળી, આ ગઠબંધનથી કોંગ્રેસને દૂર રાખવાના સમાચારો વચ્ચે પાર્ટીએ બંને પક્ષોને ચેતવ્યા છે અને કહ્યુ છે કે યુપીમાં તેમની કોઈ પણ પ્રકારની ઉપેક્ષા કરવી રાજકીય રીતે 'ખતરનાક ભૂલ' હશે.

અખિલેશના નિવેદન પર કોંગ્રેસની ચેતવણી
માયાવતી અને અખિલેશ યાદવની પાર્ટીએ 2019ની ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. આ ગઠબંધનનું મુખ્ય ઉદ્દેશ્ય ભાજપને યુપીમાં મોટી જીત મેળવવાથી રોકવાનો છે. કોંગ્રેસ પણ આ ગઠબંધનનો હિસ્સો બનવા માટે બંને નેતાઓ સાથે વાતચીત કરી રહ્યી હતી. પરંતુ તેમણે કોંગ્રેસને અલગ રાખવાનું મન બનાવી લીધુ છે. અખિલેશ યાદવે કોંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલી બંને સીટો છોડવાનો નિર્ણય કર્યો છે. આ સીટો પર ગઠબંધન દળ કોઈ ઉમેદવાર નહિ ઉતારે.

અખિલેશે કહ્યુ હતુ, યુપીમાં કોંગ્રેસ એટલી મજબૂત નથી
સપા-બસપાના ગઠબંધન પર કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે સમાન વિચારવાળી બધી પાર્ટીઓનો ઉદ્દેશ્ય કોંગ્રેસની જેમ જ છે કે આ દેશમાંથી કુશાસનને સમાપ્ત કરવામાં આવે, તાનાશાહીને હટાવવામાં આવે, અસહિષ્ણુતા હટાવવામાં આવે. અમારે બધાએ આ ઉદ્દેશ્ય માટે કામ કરવાનું છે.

‘કોંગ્રેસને નજરઅંદાજ કરવી ખતરનાક ભૂલ'
તેમણે કહ્યુ કે જો અમુક પક્ષો આ ઉદ્દેશ્યને પૂરો કરવામાં બાધક બનશે તો આ દોષ તેમના પર જ હશે. તેમણે કહ્યુ કે જો કોઈ નજરઅંદાજ કરવાની કોશિશ કરશે તો તે મોટુ જોખમ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસની ઉપેક્ષા કરવી મોટી રાજકીય ભૂલ હશે. તમને જણાવી દઈએ કે આજે સપા અમે બસપાની સાથે પ્રેસ કોન્ફરન્સ થશે જેમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગે એલાન કરવામાં આવી શકે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
