કેજરીવાલ મુંઝવણમાં: કોંગ્રેસે આપ્યો પત્રનો જવાબ
નવી દિલ્હી, 16 ડિસેમ્બરઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખવામાં આવેલા પત્રનો જવાબ કોંગ્રેસે આપ્યો છે. પત્રમાં કેજરીવાલને જવાબ આપતા કહેવામા આવ્યું છે કે, 18માંથી 16 મુદ્દા રાજ્ય પ્રશાસન સાથે જોડાયેલા છે, જેની સાથે કેન્દ્રને કોઇ લેવા દેવા નથી, બાકીના બે મુદ્દાઓ પર કોંગ્રેસ ‘આપ'ને સહયોગ કરવા તૈયાર છે.

તેના પર આપ નેતા મનીષ સિસોદિયાનું કહેવું છે કે અત્યારે હું પાર્ટીની આગામી રણનીતિ પર કંઇ કહેવા માગતો નથી. અમે તેનો નિર્ણય પાર્ટીની બેઠકમાં કરીશું. હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે, દિલ્હી વિધાનસભા ભંગ કરવામાં નહીં આવે. આપ પાર્ટીના અન્ય નેતાએ કોંગ્રેસના જવાબી પત્ર અંગે હજુ સુધી કંઇ કહ્યું નથી.
નોંધનીય છે કે, કેજરીવાલને સમર્થન આપવાની પહેલ કરવા અંગે કોંગ્રેસ અને ભાજપ સામે આપ નેતાએ શરતો મુકી હતી. જો કે ભાજપ કેજરીવાલ દ્વારા મોકલવામાં આવેલા પત્રનો જવાબ આપવાનું નથી. જો આપ પાર્ટીએ કોંગ્રેસની શરતો પર સહમતિ વ્યક્ત કરી તો દિલ્હીમાં આપ અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે તે નક્કી છે.












Click it and Unblock the Notifications
