Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોંગ્રેસ બહુ જલ્દી કેન્દ્રના અધ્યાદેશનો વિરોધ કરશે, બેંગ્લોરમાં યોજાનારી બેઠક મુદ્દે રાધવ ચઢ્ઢાનું નિવેદન

દિલ્હી અધ્યાદેશને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો હકારાત્મક હલ નીકળતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ આમ આદમી પાર્ટીએ તમામ વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરીને દિલ્હી અધ્યાદેશનો વિરોધ કરવા સમર્થન માંગ્યુ છે ત્યારે હવે કોંગ્રેસ તરફથી હકારાત્મક સંકેત મળ્યા છે.

જણાવી દઈએ કે, કોંગ્રેસે હજુ સુધી કોઈ સમર્થન આપ્યું નથી. આ પહેલા અન્ય ઘણી વિપક્ષી પાર્ટીઓ અરવિંદ કેજરીવાલને સમર્થન આપવાની જાહેરાત કરી ચુકી છે. હવે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, કોંગ્રેસે AAPને બેંગલુરુ વિપક્ષની બેઠકમાં આમંત્રણ આપ્યું છે.

Raghav Chadha

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ પટનાની બેઠકમાં તમામ પાર્ટીઓ સામે કહ્યું હતું કે સંસદ સત્રના 15 દિવસ પહેલા તેઓ દિલ્હીની જનતાના પક્ષમાં વટહુકમ સામે પોતાનો વિરોધ જાહેર કરશે. અમે આશા રાખીએ છીએ કે કોંગ્રેસ ટૂંક સમયમાં જ વટહુકમ સામે પોતાનો વિરોધ જાહેર કરશે. સંસદનું સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, પટનાની બેઠક બાદ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સમર્થન આપવા દબાળ કર્યુ હતુ અને કહ્યું હતું કે જો વટહુકમ પર કોંગ્રેસનું સમર્થન નહીં મળે તો ગઠબંધન શક્ય નથી. હવે હકારાત્મ હલ નીકળી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X