કોંગ્રેસે 'આપ'ના ચૂંટણી ઢંઢેરામાંથી પ્રેરણા લઈને કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતીઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP)થી પ્રેરણા લઈને, કોંગ્રેસે તેના ઢંઢેરામાં મફત વીજળી, મફત રાશન અને બેરોજગારી ભથ્થાનું વચન આપીને કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીતી.

તેમણે કહ્યું કે AAP દેશના રાજકીય પ્રવચનમાં થોડો ફેરફાર લાવવાના તેના પ્રયાસોમાં સફળ રહી છે કારણ કે અન્ય પક્ષો હવે શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર મત માંગી રહ્યા છે.

arvind kejriwal

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં જીત મેળવનારા AAP નેતાઓને સંબોધિત કરી રહ્યા હતા. કેજરીવાલે કહ્યુ, 'આપે દેશની રાજનીતિના પ્રવચનને બદલવાનો પ્રયાસ કર્યો છે. કર્ણાટકની ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીએ અમારા ચૂંટણી ઢંઢેરા પર જીત મેળવી છે.

કેજરીવાલે વધુમાં કહ્યુ, 'અમે કહ્યુ કે અમે મફત વીજળી આપીશું, તેમણે (કોંગ્રેસ) પણ એવુ જ કહ્યુ. અમે કહ્યું કે અમે મહિલાઓને બેરોજગારી ભથ્થું, મફત રાશન અને મહિને 1,000 રૂપિયા આપીશું, તેઓએ પણ એવું જ કહ્યુ.

કેજરીવાલે કહ્યું કે ભાજપ પણ હવે આવા વચનો આપી રહી છે. પહેલા રાજકીય પક્ષો જાતિ અને ધર્મના આધારે વોટ માંગતી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 4 મે અને 11 મેના રોજ બે તબક્કામાં યોજાયેલી શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં AAPએ ઘણા વોર્ડ, ત્રણ નગરપાલિકા પ્રમુખની બેઠકો, છ શહેર પંચાયત પ્રમુખની બેઠકો અને છ મ્યુનિસિપલ કાઉન્સિલરની બેઠકો જીતી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X