Constitution Day 2021 : જાણો કેમ આજના દિવસે ઉજવાય છે 'બંધારણ દિવસ'?
દર વર્ષે 26 નવેમ્બરને દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26 નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન બંધારણને 26 નવેમ્બર, 1949ના રોજ દેશની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું.
Constitution Day 2021 : દર વર્ષે 26 નવેમ્બરને દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26 નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન બંધારણને 26 નવેમ્બર, 1949ના રોજ દેશની બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું. 26 નવેમ્બર, 1949 ના રોજ અમલમાં આવ્યા બાદ બંધારણ સભાના 284 સભ્યોએ 24 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા. જે બાદ તેને 26 જાન્યુઆરીએ લાગુ કરવામાં આવ્યો હતો.
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેના આધારે ભારતને વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક કહેવામાં આવે છે. ભારતીય બંધારણમાં 448 કલમો, 12 અનુસૂચિઓ છે. તે 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં પૂર્ણ થયું હતું.
બંધારણની મૂળ નકલ કેવી દેખાય છે?
- બંધારણની મૂળ નકલ 16 ઇંચ પહોળી છે
- 22 ઇંચ લાંબી ચર્મપત્ર શીટ્સ પર લખેલું
- આ હસ્તપ્રતમાં 251 પૃષ્ઠો શામેલ છે
બંધારણનું મહત્વ શું છે?
સામાન્ય રીતે બંધારણને નિયમો અને પેટા કાયદાઓનો એવો લેખિત દસ્તાવેજ કહેવાય છે, જેના આધારે દેશની સરકાર કામ કરે છે. તે દેશની રાજકીય વ્યવસ્થાનુંમૂળભૂત માળખું નક્કી કરે છે.
દરેક દેશનું બંધારણ એ દેશના આદર્શો, ઉદ્દેશ્યો અને મૂલ્યોનું સંચિત પ્રતિબિંબ છે. બંધારણ એ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ તે સમયનીસાથે વિકસતું રહે છે.
સૌથી મોટું લેખિત બંધારણ
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેના આધારે ભારતને વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક કહેવામાં આવે છે. ભારતીય બંધારણમાં 448 કલમો, 12અનુસૂચિઓ છે.
સંપૂર્ણ બંધારણ તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. તે 26 નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયું હતું.
ભારતીયપ્રજાસત્તાકનું આ બંધારણ 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથથી લખી હતી.