દેશનાં સૌથી મોટાં હોસ્પિટલ દિલ્હી AIIMSમાં કોરોનાનો વિસ્ફોટ, 35 ડૉક્ટર સંક્રમિત
દેશનાં સૌથી મોટાં હોસ્પિટલ દિલ્હી AIIMSમાં કોરોનાનો વિસ્ફોટ, 35 ડૉક્ટર સંક્રમિત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સર ગંગા રામ હોસ્પિટલ બાદ હવે દેશના સૌથી મોટાં હોસ્પિટલ (AIIMS)માં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. આ હોસ્પિટલના 35 ડૉક્ટર્સ કોરોનાથી સંક્રમિત થયા બાદ હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ તમામ સ્વાસ્થ્યકર્મીઓને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા, હાલ તેમને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અગાઉ ગુરુવારે સર ગંગા રામ હોસ્પિટલમાં 37 ડૉક્ટર્સ મહામારીના લપેટામાં આવી ગયા હતા, કોવિડ 19 વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ પણ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, મહામારીના પ્રસારની ગતિ પહેલી લહેરથી કેટલાય ગણી વધુ નોંધાઈ છે. એક દિવસના મામલામા પાછલા તમામ રેકોર્ડ ટૂટી ગયા છે. શુક્રવારે ગત 24 કલાકમા રેકોર્ડતોડ 1.31 લાખ નવા કોવિડ 19ના મામલા સામે આવ્યા છે. જ્યારે ગત 24 કલાકમાં 780 લોકોનાં મોત થયાં છે. જે આ વર્ષે એક દિવસમાં આવતા સૌથી વધુ મામલા છે. ગત 24 કલાકમાં 61 હજાર 899 લોકો કોરોનાથી ઠીક થયા છે. ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવ મામલાની સંખ્યા હવે 1,30,60,542 થઈ ગઈ છે.
જ્યારે સર ગંગારામ હોસ્પિટલના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું કે સંક્રમિત દર્દીનો ઉપચાર કરતા હોસ્પિટલના 37 ડૉક્ટર્સ કોરોનાના લપેટામાં આવી ગયા છે. આ ડૉક્ટર્સમાં મોટાભાગનામાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળ્યા છે. કુલ 32 ડૉક્ટર્સ ક્વોરેન્ટાઈન છે અને બાકીના પાંચ હોસ્પિટલમાં દાખલ છે. જણાવી દઈએ કે ગત એક વર્ષમાં સર ગંગારામ હોસ્પિટલે કોરોનાના ઈલાજમાં સૌથી મોટી ભૂમિકા નિભાવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગુરુવારે પાછલા 24 કલાકમાં 7437 નવા મામલા સામે આવ્યા, જ્યારે 24 લોકોના મોત થયાં અને 3687 લોકો કોરોનાથી સાજા થયા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
