Corona Virus : કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બરમાં ચરમ પર હશે-રિપોર્ટમાં દાવો
કોરોના વાયરસની ત્રીજી લહેરનીની સંભાવના વચ્ચે આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ત્રીજી વેબ ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ચરમ પર હશે.
કોરોના વાયરસની ત્રીજી લહેરનીની સંભાવના વચ્ચે આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ત્રીજી વેબ ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ચરમ પર હશે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મનીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે કોરોના વાયરસની ત્રીજી લહેર ચરમસીમા પર હશે. પરંતુ આ લહેરની તીવ્રતા બીજી લહેર કરતા ઓછી હશે. વૈજ્ઞાનિક મણિન્દ્ર અગ્રવાલની ત્રણ સભ્યોની ટીમને કોરોના વાયરસને લઈને આગાહી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે ચરમ પર હશે ત્રીજી લહેર
વૈજ્ઞાનિક મનીન્દ્ર અગ્રવાલના મતે, કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર એટલી જીવલેણ નહીં હોય. તેમણે કહ્યું કે કોવિડ -19 ની ત્રીજી લહેરમાં કોવિડ-19 ના દરરોજ એક લાખ કેસ આવી શકે છે. જ્યારે મે મહિનામાં બીજી લહેર ચરમ પર હતી ત્યારે દરરોજ 4 લાખથી વધુ કેસ નોંધાયા હતા. કોરોનાની બીજી લહેરે લાખો લોકોના જીવ લીધા છે.

આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોની આગાહી
આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મનીન્દ્ર અગ્રવાલે ટ્વીટ કર્યું હતું કે, જ્યારે કોરોનાનું નવું વેરિએન્ટ આવે ત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં નથી રહેતી. નવા વેરિએન્ટને કારણે સપ્ટેમ્બર સુધીમાં 50 ટકા વધુ સક્રમણ નોંધાશે. કોરોનાની ત્રીજી લહેરમાં નવા વેરિએન્ટનો પ્રભાવ ઓછો હશે, આ સ્થિતિમાં રોજ 1 લાખ કોરોના કેસ નોંધાઈ શકે છે.

ભારતમાં રસીકરણની કામગીરી ખૂબ જ ધીમી
તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં કોરોના રસીકરણની ગતિ ખૂબ જ ધીમી છે અને ચેતવણી આપી છે કે જો રસીકરણ ઝડપી રીતે કરવામાં નહીં આવે તો દૈનિક નવા કેસોની સંખ્યા ત્રીજી લહેર દરમિયાન 6 લાખ પ્રતિ દિવસ પાર કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કાર્યરત NIDM એ કહ્યું હતું કે, રસીકરણની ગતિ વધારીને ત્રીજી લહેરની સંભાવનાને પડકારવામાં આવી શકે છે, પરંતુ દેશમાં માત્ર 7.6 ટકા (10.4 કરોડ) લોકોને જ સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

ત્રીજી લહેરમાં રોજના 6 લાખ કેસ નોંધાઈ શકે
નિરમાના સહયોગથી પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ના પ્રોફેસરો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ, યુનિવર્સિટીમાં ભારતનો રસીકરણ દર હાલમાં 3.2 ટકા છે, જો તેમાં સુધારો નહીં થાય તો ભારતમાં ત્રીજી લહેર દરમિયાન રોજ લાખ કેસ નોંધાઈ શકે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
