કોરોના વાયરસને ભારત સરકારે રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી, મૃત્યુ પર 4 લાખનું વળતર
ભારત સરકારે કોરોના વાયરસને આપત્તિ ગણાવી છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યું પર ભારત સરકારે મૃતકના પરિવારને 4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ રકમ તે લોકો માટે પણ છે કે જેઓ આ રોગ સામે લડવા રાહત ઓપરેશ
ભારત સરકારે કોરોના વાયરસને આપત્તિ ગણાવી છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યું પર ભારત સરકારે મૃતકના પરિવારને 4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ રકમ તે લોકો માટે પણ છે કે જેઓ આ રોગ સામે લડવા રાહત ઓપરેશનમાં સામેલ છે અથવા રાહત કામગીરીમાં સામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે આ માહિતી આપી છે.

રાષ્ટ્રીય આપત્તિ જાહેર
ભારત સરકારે કોરોના વાયરસને આપત્તિ જાહેર કરી છે. તેને રાજ્ય આપત્તિ રાહત ભંડોળ (એસડીઆરએફ) હેઠળ લાવવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ) હેઠળ સહાય પૂરી પાડવાના હેતુસર સરકારે કોરોના વાયરસને એક સૂચિત આપત્તિ ગણાવી છે.

ભારતમાં કોરોનાના 83 કેસ
ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં 83 કેસ નોંધાયા છે. આ વાયરસથી બે લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હી અને કર્ણાટકમાં એક-એક મૃત્યુ થયું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત ઓછામાં ઓછા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે. જો કે, આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેને આરોગ્યની કટોકટી ગણાવી નથી અને લોકોને ભયભીત ન થવાની અપીલ કરી છે.

મહામારી જાહેર
કોરોના વાયરસને કારણે દેશના ઘણા રાજ્યોમાં શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે. કોરોનાને દિલ્હીમાં મહામારી જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં સિનેમા હોલ અને મીટિંગ્સ પર પ્રતિબંધ છે. કર્ણાટકમાં પણ લગ્ન સમારોહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ શકતા નથી. આરોગ્ય મંત્રાલય સતત કોરોના વિશે અપડેટ્સ આપી રહ્યું છે. ભારત સરકાર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન સતત સાવચેતી રાખવા લોકોને અપીલ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ઈન્ફોસિસ કંપનીમાં કોરોના વાયરસનો ડર, બેંગલુરુની બિલ્ડિંગ ખાલી કરાવાઈ
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
