Coronavirus Update: કોરોના કેસોમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આવ્યા 25,404 નવા કેસ, 339 લોકોના મોત
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,404 નવા કેસ સામે આવ્યા છે અને 339 લોકોના મોત થયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં નવા કોવિડ-19 કેસોમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે. વળી, કોરોનાના સક્રિય કેસોની વાત કરીએ તો તેની સંખ્યા 3,62,207 છે. રિકવરી રેટ 97.58 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 37,127 લોકો કોરોનાથી રિકવર થયા પછી કોરોનાથી રિકવર થનાર લોકોની કુલ સંખયા 3,24,84,159 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 78,66,950 લોકોની રસીકરણ થયુ છે. વળી, અત્યાર સુધી કુલ 75,22,38,324 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યુ કે આ વર્ષે જાન્યુઆરીમાં દેશ વ્યાપી અભિયાનની શરૂઆત બાદથી ભારતમાં 75 કરોડથી વધુ કોવિડ વેક્સીન ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. આ ગતિએ જો ડોઝ લગાવાતો રહ્યો તો ડિસેમ્બર સુધી દેશની 43 ટકા વસ્તીનુ રસીકરણ થઈ શકે છે. મહામારીની ત્રીજી લહેરને રોકવા માટે ભારત વર્ષના અંત સુધી 60 ટકા વસ્તીને રસીનો બંને ડોઝ લગાવી દેવા માંગે છે.
સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદ્દાખ અને લક્ષદ્વીપમાં બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 2.07 ટકા છે. વળી, દૈનિક પૉઝિટિવિટી રેટ 1.78 ટકા છે. દિલ્લીમાં કોરોના વાયરસનુ સંક્રમણ હાલમાં કાબુમાં છે. સોમવારે સતત છઠ્ઠા દિવસે કોરોનાથી કોઈ દર્દીનુ મોત થયુ નથી. દિલ્લીમાં કોરોના મોતનો આંકડો 25,083 પર સ્થિર છે. વળી, છેલ્લા 24 કલકામાં દિલ્લીમાં 17 નવા કોરોના કેસ સામે આવ્યા. સક્રિય દર્દીઓની સંખ્યા 377 થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 14,38,250 છે.
લાન્સેટ પત્રિકા દ્વારા જાહેર કરાયેલ એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલની સ્થિતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ આપવાની જરૂર નથી કારણકે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમમાં પણ અસરકારક સાબિત થઈ રહી છે એવામાં કોઈ કોવિડ વેક્સીન બૂસ્ટર ડોઝ આપવાની જરૂર નથી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
