Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં સામે આવ્યા કોરોનાના 7579 નવા કેસ, 263 દર્દીઓના થયા મોત
દેશમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ દેશમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7579 નવા કેસ સામે આવ્યા છે કે જે 543 દિવસોમાં સૌથી ઓછા છે જ્યારે 236 લોકોના મોત થયા છે અને 12,202 લોકો હૉસ્પિટલમાંથી ઠીક થઈને ઘરે પણ પાછા આવ્યા છે. દેશમાં હાલમાં સક્રિય કેસ 1,13,584 છે કે જે 536 દિવસોમાં આવેલા સૌથી ઓછા કેસોનો આંકડો છે.
કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 3,45,26,480 સુધી પહોંચી ગઈ છે. વળી, હૉસ્પિટલથી ઠીક થનારા લોકોની સંખ્યા 3,39,46,749 થઈ ગઈ છે અને કુલ મોતનો આંકડો 4,66,147 સુધી પહોંચી ગયો છે જ્યારે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1,13,584 છે અને કુલ રિકવરી 3,39,46,749 છે. હાલમાં 1,17,63,73,499 લોકોને કોરોનાની રસી લાગી ચૂકી છે.
જો રાજ્યોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના 3698 નવા કેસ સામે આવ્યા છે અને 75 લોકોના મોત કોવિડ-19થી થયા છે. જ્યારે મિઝોરમમાં 24 કલાકમાં કોરોના વાયરસના 423 નવા કેસ સામે આવ્યા અને કોરોનાથી કોઈ મોત થયુ નથી.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)ના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસ માટે 9,64,980 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં સોમવારે કુલ 63,34,89,239 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આ બાબતની માહિતી ભારતીય ચિકિત્સા પરિષદે આપી છે.
બેદરકારી બની શકે છે મુસીબત
દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થયો છે એ રાહતની વાત છે પરંતુ હજુ પણ દેશમાંથી કોવિડ ખતમ થયો નથી માટે સૌઓ કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવુ ખૂબ જરૂરી છે કારણકે નાનકડી બેદરકારી મુસીબત બની શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યો પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યા છે અને તેમાં ઘટતુ તાપમાન અને વધતી શરદીના કારણે કોરોનાના કેસો વધી શકે છે માટે સહુ કોઈએ સાવચેત રહેવાની જરુર છે.