ભારતમાં કોરોના વાયરસ રસીકરણ બાદ અત્યાર સુધી 22 લોકોના મોત
દેશમાં કોરોના વાયરસ રસીકરણ બાદથી અત્યાર સુધી 22 લોકોના મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વળી, શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ આંકડાઓની માનીએ તો દેશમાં કોરોના વાયરસ રસીકરણ બાદથી અત્યાર સુધી 22 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે આરોગ્ય મંત્રાલયે આ મોતો માટે રસીકરણને જવાબદાર ગણાવ્યુ નથી. આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં આગ્રા નિવાસી એક 77 વર્ષીય વૃદ્ધનુ મોત થયુ છે. આ વ્યક્તિને 7 દિવસ પહેલા રસી લગાવવામાં આવી હતી.

જ્યારે તેમના મોતનુ કારણ ડાયાબિટીઝ સાથે કાર્ડિયોઝિક/સેપ્ટિકમિક એટેક ગણાવવામાં આવ્યુ છે. વિશેષજ્ઞોની ત્રણ સમિતિઓ - એક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સમિતિ - મૃત્યુદરમાં રસીકરણની ભૂમિકાને શોધે છે. મંત્રાલયે કહ્યુ કે રાષ્ટ્રીય સમિતિ દ્વારા આવનારા દિવસોમાં આવી મોતોનુ વિશ્લેષણ કરવાની આશા છે. સમાચારોની માનીએ તો શુક્રવાર સુધી 10.4 મિલિયનમાંથી લગભગ 5.2 મિલિયન લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુછ. એટલે કે લક્ષ્યના લગભગ 50 ટકા પૂરા કરી લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના પ્રવકતાએ દાવો કર્યો કે શુક્રવારે ભારતમાં 3.3 લાખ રસીકરણ કરવામાં આવ્યુ છે અને સંયુક્ત રાજ્ય યુનાઈટેડ કિંગડન અને ઈઝરાયેલની તુલનામાં ભારતમાં સૌથી વધુ ઝડપથી 5 લાખ લોકોનુ રસીકરણ થયુ છે.
વળી, આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ શુક્રવારે લોકસભામાં માહિતી આપી કે કોરોના વેક્સીન રસીકરણ વિશે લોકોમાં શંકા છે જેના કારણે કોરોના વેક્સીનમાં ઓછો લોકોએ ભાગ લીધો છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ રસીકરણ બાદ અત્યાર સુધી 7,580 પ્રતિકૂળ ઘટનાઓની સૂચના મળી છે. તેમણે કહ્યુ કે અન્ય દેશોમાં કોરોના વાયરસ મહામારીનો બીજો અને ત્રીજો તબક્કો જોવા મળ્યો છે. જો વધુ ખતરનાક છે. માટે આપણે એ ન કહી શકીએ તો કોરોના વાયરસ રસીકરણ બાદ આ કેસોમાં નિશ્ચિત રીતે ઘટાડો થઈ જશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
