100 દિવસ સુધી ભારતમાં રહેશે કોરોના વાયરસની બીજી લહેર, જાણો ક્યારે આવશે સ્થિરતા
એક્સપર્ટના જણાવ્યા મુજબ કોરોના વાયરસની બીજી લહેર 100 દિવસ સુધી રહેવાની છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેલ બેકાબુ થઈ રહી છે. હવે આ અંગે એક એક્સપર્ટે કહ્યુ છે કે કોરોના વાયરસની બીજી લહેર 100 દિવસ સુધી રહેવાની છે. એક્સપર્ટે એ પણ કહ્યુ છે કે દેશની 70 ટકા વસ્તીને જ્યાં સુધી કોવિડ-19 વેક્સીન નહિ મૂકવામાં આવે ત્યાં સુધી આ લહેરો આવતી રહેશે. દક્ષિણ-પૂર્વ પોલિસ માટે એક્સપર્ટ તરફથી જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં કોરોનાની બીજી લહેર 100 દિવસ સુધી રહેવાની છે. દેશની વસ્તીના 70 ટકા લોકો જ્યારે કોવિડ-19 વેક્સીન લઈ લેશે અને લોકોમાં હર્ડ ઈમ્યુનિટી હશે ત્યારબાદ જ આ લહેરો ઓછી થશે.
પોલિસકર્મીઓ વચ્ચે જાગૃતિ ફેલાવવા માટે ડૉ.નીરજ કૌશિકે પોતાની સલાહ રિપોર્ટમાં કહ્યુ છે કે નવા મ્યુટન્ટ વાયરસમાં પ્રતિરક્ષા અને અહીં સુધી કે રસીની અસર છોડવાની ક્ષમતા છે, માટે વેક્સીન લેનાર લોકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ડૉ. નીરજ કૌશિકના જણાવ્યા મુજબ હર્ડ ઈમ્યુનિટી, સંક્રમક બીમારીઓ સામે અપ્રત્યક્ષ રીતે લોકોમાં બચાવનુ કામ કરે છે.
ભાગેડુ નીરવ મોદીને લવાશે ભારત, UKએ આપી પ્રત્યાર્પણની મંજૂરી