પ્રેમી કપલની હત્યા, લાશના ટુકડે ટુકડા કરીને સળગાવ્યા
બિહારના ગયામાં એક પ્રેમી યુગલે તેમના પ્રેમની કિંમત જીવ ગુમાવીને ચૂકવવી પડી છે. પ્રેમી યુગલના પરિજનોએ બંનેની નિર્દયતાપૂર્વક હત્યા કરી
બિહારના ગયામાં એક પ્રેમી યુગલે તેમના પ્રેમની કિંમત જીવ ગુમાવીને ચૂકવવી પડી છે. પ્રેમી યુગલના પરિજનોએ બંનેની નિર્દયતાપૂર્વક હત્યા કરી અને ત્યારપછી તેમની લાશના ટુકડે ટુકડા કરીને પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી. પોલીસે આ મામલે ખુલાસો કરતા યુવતીના પિતા, કાકા અને મામેરા ભાઈની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: યૌનસંબધ બનાવવાની ના પાડી તો મોડલ માનસીની હત્યા કરી નાખી

શુ છે મામલો
આખો મામલો ગયા જિલ્લાના મુફસીલ ચોકી વિસ્તારના મનિયારી ગામનો છે. મનિયારી ગામની સીમા કુમારી વજીરગંજ ચોકી વિસ્તારના શોભા ગામના વિકાસને પ્રેમ કરતી હતી. પરંતુ સીમાના પરિવારને આ મંજુર ના હતું. 3 મહિના પહેલા સીમા પોતાના પ્રેમી વિકાસ સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. ત્યારપછી સીમાના પિતાએ વિકાસ સામે અપહરણ કર્યાનો કેસ નોંધાવ્યો. કેસ નોંધાયાના થોડા જ દિવસે પોલીસે બંનેને પકડીને વિકાસને જેલમાં મોકલ્યો હતો.

જેલથી છૂટીને પ્રેમિકાને મળવા પહોંચ્યો
5 દિવસ પછી વિકાસ જેલથી જામીન પર બહાર આવ્યો. વજીરગંજ ડીએસપી અભિજીત ઘ્વારા જણાવવામાં આવ્યું કે જેલથી બહાર આવતા વિકાસે પોતાની પ્રેમિકા સીમાને ગામની બહાર મળવા માટે બોલાવી, જેની ભનક સીમાના પિતા, કાકા અને મામેરા ભાઈને લાગી ગઈ. તેમને પેમાર નદી પર બનેલા પુલ પાસે વિકાસની હત્યા કરી નાખી. ત્યારપછી તેમને સીમાને પણ ત્યાં બોલાવી અને તેની પણ હત્યા કરી નાખી.

લાશના ટુકડે ટુકડા કરીને સળગાવ્યા
બંનેની હત્યા કર્યા પછી પણ તેમનું મન ભરાયું નહીં. તેમને લાશને ધારદાર હથિયાર ઘ્વારા કાપી નાખી અને તેના ટુકડે ટુકડા કરીને સળગાવી દીધી. પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ અને તેમને યુવતીના પરિજનોની ધરપકડ કરી લીધી. પોલીસે સળગેલી લાશના હાડકા અને બાકીના અવશેષોને જાંચ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
