દિલ્લીમાં લગાવવામાં આવી શકે છે સાત દિવસ માટે કર્ફ્યુ
કોરોના વાયરસના વધતા કેસોને જોતા રાજધાની દિલ્લીમાં સાત દિવસ માટે કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના વધતા કેસોને જોતા રાજધાની દિલ્લીમાં સાત દિવસ માટે કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે કર્ફ્યુની ઘોષણા કરી શકે છે. તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લીમાં કોરોના રોજેરોજ રેકૉર્ડ તોડી રહ્યુ છે. સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે દિલ્લીમાં 24 કલાકમાં લગભગ 25000 નવા કેસ સામે આવી રહ્યા છે. સંક્રમણના દરની ગતિ 24થી વધીને 30 ટકૈ પહોંચી ગઈ છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સોમવારની સવારથી જ ઉપરાજ્યપાલ અનિલ બેજલ સાથે બેઠક ચાલુ છે. આ બેઠક ખતમ થયા બાદ સીએમ અરવિંદ કેજરીવાલ ઘણા કડક નિયમોનુ એલાન કરશે. જણાવવામાં આવી રહ્યુ છે કે સોમવારે રાતે 10 વાગ્યાથી લઈને આગામી 24 એપ્રિલ સુધી દિલ્લામાં પૂર્ણ કર્ફ્યુ લગાવવામાં આવશે. વીકેન્ડ લૉકડાઉનની જેમ બીજા ઘણા પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવી શકે છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે થોડી વારમાં પ્રેસ કૉન્ફરન્સ કરી શકે છે.
દિલ્લીમાં કોરોનાની સ્થિતિ
તમને જણાવી દઈએ કે દિલ્લીમાં રવિવારે કોરોનાના એક દિવસમાં સૌથી વધુ 25,462 નવા કેસ સામે આવ્યા જ્યારે સંક્રમણથી 161 વધુ દર્દીઓનો મોત થઈ ગયા. દિલ્લીમાં સંક્રમણનો દર વધીને 29.74 ટકા થઈ ગયો. સંક્રમણનો દર 29.74 ટકા થવાનો અર્થ છે કે દિલ્લીમાં લગભગ પ્રત્યેક ત્રીજો કેસ સંક્રમિત જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
