Coronavirus Update: ભારતમાં ફરીથી મળ્યા 10 હજારથી વધુ નવા કોરોના દર્દી, 24 કલાકમાં 12,134 ડિસ્ચાર્જ, 301 મોત
ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા હજુ પણ 1 લાખથી વધુ છે. જો કે રિકવર થનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા હજુ પણ 1 લાખથી વધુ છે. જો કે રિકવર થનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. રોજ નવા મળી રહેલા દર્દીઓનો આંકડો લગભગ 10 હજાર છે. છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 10,197 નવા કેસ સામે આવ્યા છે. વળી, રાહતના સમાચાર એ પણ છે કે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે દેશભરમાં કોરોનાના સક્રિય દર્દી 1,28,555 છે. વળી, રિકવર થનાર દર્દીઓની સંખ્યા નવા મળેલા દર્દીઓની સરખામણીમાં વધુ છે. ગઈ કાલે 12,134 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આને રાહત તરીકે લઈ શકાય છે.
આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 301 લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 4,64,153 લાખ મોત થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમણના કુલ કેસ જોઈએ તો આ આંકડો 3.44 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે જેમાંથી કુલ 33873890 દર્દીઓની રિકવરી થઈ ચૂકી છે. વળી, કાલે આખા દિવસમાં 60 લાખથી વધુ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે કુલ વેક્સીનેશન 1,13,68,79,685 સુધી પહોંચી ગયો.
રાજ્યોમાં કોરોનાની અસર
કોરોનાતી દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય કેરળ છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5516 નવા કેસ આવ્યા. 6705 રિકવરી અને 39 લોકોના કોરોનાથી મોત થયા. વળી, સક્રિય કેસ 63338 અને કુલ રિકવરી 4971080 નોંધવામાં આવી. અત્યાર સુધી ત્યાં કુલ મોત 36087 થઈ ચૂકી છે. કેરળના પડોશી રાજ્ય તમિલનાડુની વાત કરીએ તો ત્યાં 24 કલાકમાં કોરોના વાયરસના 913 નવા કેસ સામે આવ્યા. 700થી વધુ દર્દી ડિસ્ચાર્જ થયા. હાલમાં ત્યાં સક્રિય કેસોની સંખ્યા 9349 છે.
રાજધાની દિલ્લીની વાત કરીએ તો દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 44 નવા કેસ સામે આવ્યા, 24 રિકવરી થી અને કોરોનાથી એક પણ મોત થયુ નથી. અત્યાર સુધી કુલ કેસ 14,40,484 થઈ ચૂક્યા છે. વળી, કુલ ડિસ્ચાર્જ 14,15,032 અને કુલ મોત 25,095 થઈ ચૂક્યા છે. હાલમાં સક્રિય કેસ 357 છે.
કર્ણાટકની વાત કરીએ તો ત્યાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 255 નવા કેસ આવ્યા. 667 દર્દી રિકવર થયા અને 7 લોકોના મોત કોરોનાથી થયા. હવે ત્યાં કુલ કેસ 29,92,276, કુલ રિકવરી 29,46,601 અને કુલ મોત 38,153 અને સક્રિય કેસ 7,493 છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 129 નવા કેસ સામે આવ્યા, 109 લોકો ડિસ્ચાર્જ થયા અને કોરોનાથી કોઈનુ મોત પણ નથી થયુ. સક્રિય કેસોની સંખ્યા 1132 છે.