Covid-19 Strain: બ્રિટનથી ભારત આવતા લોકો માટે SOP જારી, જાણી લો આ નિયમ
સરકારે બ્રિટનથી આવતા મુસાફરો માટે માનક પરિચાલન પ્રક્રિયા (SOP)જારી કરી છે.
નવી દિલ્લીઃ Covid-19 Strain: બ્રિટનમાં કોરોના વાયરસ (Coronavirus)નો નવો સ્ટ્રેન મળવાથી દુનિયાભરના દેશો એલર્ટ પર છે. આ દરમિયાન ભારતમાં પણ કોવિડ-19ના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દી મળ્યા છે જેમાંથી મોટાભાગના બ્રિટન(Britain)ની મુસાફરી કરીને પાછા આવ્યા છે. આ દરમિયાન ભારત સરકારે 8 જાન્યુઆરી, 2021થી બ્રિટન માટે ફરીથી ફ્લાઈટો શરૂ કરવાનુ એલાન કર્યુ છે. આ નિર્ણયના એક દિવસ બાદ હવે સરકારે બ્રિટનથી આવતા મુસાફરો માટે માનક પરિચાલન પ્રક્રિયા (SOP)જારી કરી છે.

ભારત સરકાર દ્વારા જારી એસઓપી મુજબ બ્રિટનથી ભારત આવતા મુસાફરો પાસે કોરોના વાયરસનો નેગેટીવ રિપોર્ટ હોવો જોઈએ. મુસાફરોનો કોરોના વાયરસ રિપોર્ટ નેગેટીવ છે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી એરલાઈન્સ કંપનીની હશે. બ્રિટનથી આવતા બધા મુસાફરોને અનિવાર્ય રીતે ભારતીય એરપોર્ટ એરપોર્ટ પર તેમના આગમન પર આરટી-પીસીઆર ટેસ્ટ(RT-PCR test) કરાવવુ અનિવાર્ય હશે. ટેસ્ટમાં લાગતી કિંમતની ચૂકવણી પણ મુસાફરોએ જ કરવાની રહેશે. આ સિવાય કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ મુસાફરીઓેને 14 દિવસ માટે ઘરે ક્વૉરંટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
સરકાર દ્વારા જારી દિશાનિર્દેશ 30 જાન્યુઆરીની રાતે 12 વાગ્યા સુધી લાગુ રહશે. જો કે અમુક આદેશોનુ પાલન સમય સીમા ખતમ થયા બાદ પણ કરવામાં આવી શકે છે. ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એક સ્વ-ઘોષણા ફૉર્મ ભરવાનુ રહેશે જેમાં તેમણે પોતાના છેલ્લા 14 દિવસની મુસાફરીની માહિતી આપવાની રહેશે. 8 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ આ ફૉર્મ નિર્ધારિત યાત્રાથી ઓછામાં ઓછુ 72 કલાક પહેલા ઑનલાઈન પોર્ટલ (newdelhiairport.in) પર જઈને ભરવાનુ રહેશે. આ ઉપરાંત યુકેથી આવતા બધા મુસાફરોએ નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. જે યાત્રા શરૂ કરવાથી 72 કલાક પહેલા કરવામાં આવ્યુ હોય. ફ્લાઈટમાં બેસતા પહેલા એરલાઈન્સ મુસાફરોના કોરોના રિપોર્ટની તપાસ કરશે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
