રાહતના સમાચારઃ 60%થી વધુ થયો કોરોના દર્દીઓનો રિકવરી દર
મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસના દર્દીઓના રિકવર થવાનો દર 60 ટકાને પાર પહોંચી ગયો છે.
દેશભરમાં ફેલાયેલ કોરોના વાયરસ મહામારી વિશે ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક રાહતના સમાચાર આપ્યા છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસના દર્દીઓના રિકવર થવાનો દર 60 ટકાને પાર પહોંચી ગયો છે. મહામારી સામે રોગીઓનો રિકવર થવાની ગતિ વધી છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીઓના રિપોર્ટ મુજબ અત્યાર સુધી 6 લાખથી વધુ કોરોના દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓની વાત કરીએ તો ભારતમાં કોરોનાના 625,544 કેસ છે. અત્યાર સુધી 379,892 લોકો રિકવર થઈ ચૂક્યા છે અને 227,439 કેસ સક્રિય છે. ખતરનાક વાયરસથી અત્યાર સુધી 181213 લોકોના જીવ જઈ ચુૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 20,903 નવા કેસ રિપોર્ટ થયા છે. વાયરસે એક દિવસમાં 379 લોકોના જીવ લીધા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસના રોગીઓનો રિકવરી રેટ 60 ટકાથી વધીને હવે 60.73 ટકા પર આવી ગયો છે જે રાહતના સમાચાર છે.
આરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશન માટે જારી કરી સંશોધિત ગાઈડલાઈન્સ
કોરોના વાયરસ(કોવિડ-19)થી સંક્રમિત દર્દીઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશનની ગાઈડલાઈન્સમાં સુધારો કર્યો છે. હવે જારી કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સમાં બહુ હળવા/પ્રી-સિમ્પ્ટોમેટિક/એસિમ્પ્ટોમેટિક કોવિડ-19 કેસોને પણ શામેલ કરવામાં આવ્યા છે. જો કે દર્દી ઈમ્યુન સંબંધિત મુશ્કેલીઓથી જેવી કે એચઆઈવી, કેન્સર સામે લડી રહ્યા છે તેમને હોમ આઈસોલેશનની મંજૂરી નથી. આવા લોકોએ હોસ્પિટલમાં જ પોતાનો ઈલાજ કરવો પડશે. બહુ હળવા કે કોઈ લક્ષણ વિનાના લોકો જેમને કોઈ બિમારી નથી, હોમ આઈસોલેશનમાં રહીને ઈલાજ કરાવી શકે છે. પરંતુ ડૉક્ટરની મંજૂરી લેવી પડશે.
The recovery rate among COVID-19 patients has crossed 60%. It stands at 60.73% today: Ministry of Health and Family Welfare pic.twitter.com/6WnZCi9iSm
— ANI (@ANI) July 3, 2020
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
