For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ સામેની લડાઈ માટે રેલવે-એરપોર્ટ ઑથોરિટીએ આપ્યા 171 કરોડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન આપે. પ્રધાનમંત્રીની અપીલ બાદ દેશભરમાંથી લોકો આ રાહતકોષમાં દાન કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયામાં ફેલાયેલ કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે ભારત સતત પોતાની કોશિશોમાં લાગેલુ છે. કોરોના વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકોમાં સંક્રમણ ફેલાઈ રહ્યુ છે. ભારતમાં પણ સતત સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યુ છે અને આ સંખ્યા 1000ને પાર પહોંચવાની છે. આખા દેશમાં લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. પરંતુ દેશની રાજધાની દિલ્લીમાં તમામ રાજ્યના લોકો પોતાના ઘરે જવા માટે ભેગા થઈ રહ્યા છે અને સરકાર આ લોકોને અપીલ કરી રહી છે કે આ લોકો જ્યાં છે ત્યાં જ રહે. આ દરમિયાન સંકટની આ ઘડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન આપે. પ્રધાનમંત્રીની અપીલ બાદ દેશભરમાંથી લોકો આ રાહતકોષમાં દાન કરી રહ્યા છે.

રેલવે કર્મચારી આપશે 151 કરોડ

રેલવે કર્મચારી આપશે 151 કરોડ

ભારતીય રેલવે અને વિમાન ઉડ્ડયન સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની સેલેરીનો એક હિસ્સો આ રાહત કોષમાં દાન કરવાની ઘોષણા કરી છે. રેલવેએ 13 લાખ કર્મચારી કોરોનાના ખતરાને જોતા પીએમ કેર્સ ફંડમાં જમા કરશે પોતાની એખ દિવસની સેલેરી. આ તમામ કર્મચારી કુલ 151 કરોડ રૂપિયાની મદદ પીએમ કેર ફંડમાં કરશે. આ ઉપરાંત એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાના બધા કર્મચારીઓને 20 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની મદદની ઘોષણા કરી છે.

એરપોર્ટ ઑથોરિટી આપશે 20 કરોડ

એરપોર્ટ ઑથોરિટી આપશે 20 કરોડ

એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા તરફથી એ અંગેની માહિતી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે આપણા કર્મચારીઓએ 20 કરોડ રૂપિયાની મદદની રકમ ભેગી કરવામાં આવી છે જેને પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં દાન કરવામાં આવશે, જેથી કોવિડ-19ની મહામારી સામે લડી શકાય. જેથી પહેલા સમાજના દરેક વર્ગના લોકોએ પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ હાથ આગળ વધાર્યો હતો.

લોકો આપી રહ્યા છે મદદ

લોકો આપી રહ્યા છે મદદ

ફિલ્મ જગતની તમામ હસ્તીઓએ દિલ ખોલીને પીએમ કેર્સ ફંડમાં યોગદાન આપ્યુ છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે. જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ 1.5 કરોડ રૂપિયાની મદદ કરવાનુ એલાન કર્યુ છે. એવાં જો તમે પણ સંકટની આ ઘડીમાં મદદ કરવા ઈચ્છતા હોય તો આ રીતે કરી શકો છો ડોનેશન.

આ માધ્યમોથી કરી શકો છો ડોનેશન

આ માધ્યમોથી કરી શકો છો ડોનેશન

ખાતાનુ નામ - PM CARES
અકાઉન્ટ નંબર - 2121PM20202
આઈએફએસસી કોડ - SBIN0000691 SWIFT CODE- SBININBB104
બેંકનુ નામ અને શાખા - STATE BANK OF INDIA
નવી દિલ્લી મુખ્ય શાખા - UPI ID- pmcares@sbi
આ સાથે જ pmindia.gov.in પર પણ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ કે પછી RTGS દ્વારા તમે પોતાના સ્તરે દાન કરી શકો છો.

આ પણ વાંચોઃ સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનુ કોરોના વાયરસના કારણે મોત, રૉયલ ફેમિલીથી આવો પહેલો કેસઆ પણ વાંચોઃ સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનુ કોરોના વાયરસના કારણે મોત, રૉયલ ફેમિલીથી આવો પહેલો કેસ

English summary
Covid-19: Railway and Airport authority to donate 171 crore to fight coronavirus in PM cares Fund.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X