2021માં પણ ચાલુ રહેશે મહામારી, અમુક શહેરોમાં દેખાઈ કોરોનાની બીજી લહેરઃ AIIMS ડાયરેક્ટર
AIIMSના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના વાયરસથી હજુ રાહત મળવાની નથી.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનો વધતો પ્રકોપ થમવાનુ નામ નથી લઈ રહ્યો. ભારતમાં શુક્રવારે કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઈ છે. વળી, અત્યાર સુધી 31 લાખથી વધુ કોરોના દર્દી રિકવર પણ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરફથી જારી આંકડાઓ અનુસાર અત્યાર સુધી 68,472 કોરોના દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(AIIMS)ના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના વાયરસથી હજુ રાહત મળવાની નથી.

તેમણે કહ્યુ કે મહામારીની 2021 સુધી ફેલાવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ડૉ. ગુલેરિયા કોરોના પર કેન્દ્ર સરકારના વિશેષ કાર્યબળના મુખ્ય સભ્ય છે. તેમણે કહ્યુ છે કે ભારતમાં કોરોના કેસોની સંખ્યા હજુ વધુ મહિનાઓ માટે વધવી શરૂ થઈ જશે. ગુલેરિયાએ કહ્યુ, 'અમે એ નથી કહી શકતા કે મહામાહી 2021 સુધી ફેલાઈ જશે પરંતુ અમે શું કહી શકીએ કે મહામારી આવતા વર્ષની શરૂઆતમાં સમાપ્ત થઈ રહી છે.' અંગ્રેજી વેબસાઈટ ઈન્ડિયા ટુડેના કન્સલ્ટીંગ એડિટર રાજદીપ સરદેસાઈને આપેલા ઈન્ટરવ્યુમાં આ કહ્યુ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
