હિંદુત્વ પર પોતાના વિવાદિત નિવેદન પર સીપી જોશીની સ્પષ્ટતા, 'સત્યમેવ જયતે'
મધ્ય પ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે નેતાઓ વચ્ચે વિવાદિત નિવેદનબાજીની પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. જે રીતે એક પછી એક નેતા વિવાદિત નિવેદન આપી રહ્યા છે.
મધ્ય પ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે નેતાઓ વચ્ચે વિવાદિત નિવેદનબાજીની પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. જે રીતે એક પછી એક નેતા વિવાદિત નિવેદન આપી રહ્યા છે. તેના કારણે ચૂંટણીના વાતાવરણમાં વિવાદ ઘણો વધી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીપી જોશીએ જે રીતે હિંદુત્વ અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ તેના પર તેમણે સ્પષ્ટતા માંગી છે. તેમણે કહ્યુ કે મારા નિવેદનને તોડી મરોડીને બતાવવામાં આવ્યુ છે.

જોશીએ કહ્યુ કે હું ભાજપ દ્વારા મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાવાની આકરી નિંદી કરુ છુ. તમામ કયાસો પર વિરામ લગાવીને જોશીએ પોતાના નિવેદનની ટેપ જાહેર કરી છે. તેમનું કહેવુ છે કે મારા નિવેદનના એક હિસ્સાને બતાવીને લોકો વચ્ચે મારા વિરોધમાં વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યુ છે. તેમણે ટ્વીટ દ્વારા પોતાની સ્પષ્ટતા આપી છે. જેમાં તેમણે એક વીડિયો શેર કર્યો છે. સાથે અંતમાં લખ્યુ છે કે 'સત્યમેવ જયતે'. તમને જણાવી દઈએ કે જોશીએ હિંદુત્વ અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ.
સીપી જોશીએ પણ હિંદુત્વ અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હિંદુત્વ વિશે માત્ર પંડિત જ વાત કરી શકે છે. ઉમા ભારતી અને નરેન્દ્ર મોદી પંડિત નથી. તે આના વિશે વાત ન કરી શકે. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ પોતાના નિવેદનના કારણે વિવાદમાં આવ્યા હતા. તેમની એક ટેપ સામે આવી હતી જેમાં તેઓ કહે છે કે જ્યાં સુધી 90 ટકા મુસલમાન મત ન આપે ત્યાં સુધી આપણે નુકશાન ઉઠાવવુ પડશે.
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
