છત્તીસગઢમાં નક્સલી હુમલો, CRPFના 11 જવાનોનું મૃત્યુ
છત્તીસગઢના સુકમામાં માઓવાદી હુમલો, મુખ્યમંત્રી રમણ સિંહ અનુસાર આ હુમલામાં 11 જવાનોનું મૃત્યુ થયું છે.
છત્તીસગઢ ના સુકમામાં મઓવાદી હુમલો થયો છે, જેમાં સીઆરપીએફ ના ઓછામાં 11 જવાનોનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે. મુખ્યમંત્રી રમણ સિંહે આ અંગેની જાણકારી આપી છે.

સુકમા જિલ્લાના સરપંચની પણ હત્યા
શનિવારના રોજ થયેલા આ હુમલા માં નક્સલવાદીઓએ મૃત્યુ પામેલા જવાનોના 10 હથિયાર તથા રેડિયો સેટ્સ પણ લૂંટી લીધા છે. મૃત્યુ પામેલા સીઆરપીએફના જવાનો બટાલિયન 219 હેઠળ કામગીરી બજાવતા હતા. આઇ.જી. સુંદર રાજે આ અંગે ન્યૂઝ એજન્સિ એએનઆઇને જાણકારી આપતા કહ્યું કે, જવાનો એક ખુલ્લા રસ્તા પર વ્યાયામ કરી રહ્યાં હતા. તે સમયે જ નક્સલવાદીઓએ તેમની પર ફાયરિંગ શરૂ કર્યું. શુક્રવારના રોજ સુકમા જિલ્લાના પૂર્વ સરપંચની નક્સલવાદીઓએ હત્યા કરી હતી. આ સરપંચની હત્યા પાછળનું કારણ એ હતું કે, નક્સલવાદીઓને શંકા હતી કે તે પોલીસ સાથે મળીને તેમની વિરુદ્ધ કોઇ કાવતરું કરી રહ્યો છે.
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે, તેમણે લખ્યું છે, સુકમામાં સીઆરપીએફના જવાનોની હત્યાનું મને દુઃખ છે. શહીદોને સલામ, તેમના પરિવારજનોને આશ્વાસન આપું છું. ઇજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.
Saddened by the killing of CRPF personnel in Sukma. Tributes to the martyrs & condolences to their families. May the injured recover quickly
— Narendra Modi (@narendramodi) March 11, 2017
આ સાથે જ અન્ય એક ટ્વીટ કરતાં તેમણે લખ્યું કે, ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે સુકમાની ઘટના અંગે વાતચીત કરી છે. તેઓ જલ્દી જ ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવા સુકમા પહોંચશે.
Spoke to Home Minister @rajnathsingh Ji on the situation in Sukma. He is going to Sukma to take stock of the situation.
— Narendra Modi (@narendramodi) March 11, 2017
ત્રણ નક્સલવાદીઓએ કર્યું સમર્પણ
શુક્રવારે જ છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓએ ત્રણ નક્સલવાદીઓએ સમર્પણ કર્યું હતું, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બે મહિલા કેડર્સ જેમનાં નામ ટાટી ભીમા અને કુંજન સોમદી છે, તેમની પોલીસે ઉસૂરથી ધરપકડ કરી હતી. તો 20 વર્ષીય નક્સલી હાપકા સાન્નૂની પોલીસે નાજમદ પોલીસ સ્ટેશનથી ધરપકડ કરી હતી. 7 માર્ચના રોજ સીઆરપીએફની બટાલિયન 229 એ નક્સલવાદીઓની શોધ માટે એક સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું હતું.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
