શીલા પર કેજરી'વાર', CWG કૌભાંડમાં FIR દાખલ
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની મુશ્કિલોમાં વધારો થઇ ગયો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે કોમનવેલ્થ કૌભાંડમાં નવેસરથી એફઆઇઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરોને કેસ નોંધીને તપાસ હાથ ધરવાનું જણાવવામાં આવ્યું છે.
એફઆઇઆરમાં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને તેમના પીડબ્લ્યૂડીમંત્રીના નામનો સમાવેશ થઇ શકે છે. આ મામલો લાઇટ ખરીદી સાથે જોડાયેલ છે જેમાં કોન્ટ્રાક્ટ નિયમોને નેવે મૂકીને કરવામાં આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શીલા દીક્ષિતે જ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી.

આરોપ છે કે પાંચથી છ હજાર રૂપિયામાં મળનારી લાઇટ 27 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એમસીડી અધિકારીઓ વિરુધ્ધ પણ એફઆઇઆર નોંધાશે. અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચાર સમયથી કહેતા આવ્યા છે કે તેઓ શીલા દીક્ષિત વિરુધ્ધ તપાસ બેસાડશે.












Click it and Unblock the Notifications
