Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Dana : વાવાઝોડુ દાના કેટલુ ખતરનાક? જાણો બંગાળ-ઓડિશાના કિનારે કેટલો વિનાશ વેરશે?

Cyclone Dana Landfall : બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન દાના ધીરે ધીરે કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાનની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 12 લાખ લોકોને પહેલા જ સલામત સ્થળ ખસેડી દેવાયા છે.

બંગાળની ખાડીમાંથી તોફાન દાના 24 ઓક્ટોબરે કિનારા પર લેન્ડ ફોર કરશે. અહેવાલો અનુસાર દાના ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના દીધાના કિનારે ટકરાઈ શકે છે.

Cyclone Dana

અહીં તમને તોફાનની તિવ્રતાનો અંદાજ એ વાત પરથી આવશે કે દાનાના કારણે ઓડિશામાં 150 અને પશ્ચિમ બંગાળમાં 198 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સિવાય શાળાઓ, કોલેજો અને હોટેલો ત્રણ દિવસ માટે બંધ રાખવાના આદેશ અપાયા છે.

બીજી તરફ પ્રસિદ્ધ યાત્રાધામ જગન્નાથ પુરીમાં શ્રદ્ધાળુઓની અવરજવર ઓછી થઈ ગઈ છે અને ત્રણ હજાર પ્રવાસીઓને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત ખસેડી દેવાયા છે.

ઓડિશાના વિશેષ રાહત અધિકારી દેવ રંજન સિંહે જણાવ્યુ કે, હવામાન વિભાગનો અંદાજ છે કે ચક્રવાતી તોફાન દાના 24 ઓક્ટોબરની મધ્યરાત્રિએ અથવા 25 ઓક્ટોબરની વહેલી સવારે પુરીના કિનારે લેન્ડફોલ કરશે.

તેમના જણાવ્યા અનુસાર, આ દરમિયાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સ્થિતિમાં માત્ર ઓડિશા જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવ્યા છે.

ઓડિશા હવામાન વિભાગ અનુસાર ચક્રવાત દાનાની અસરને કારણે પુરીમાં 23 ઓક્ટોબરથી જ વરસાદ શરૂ થશે. 25 ઓક્ટોબરે 11 ઈંચ વરસાદ પડવાની સંભાવના છે.

દાના તોફાનની અસર 29 માંથી 14 દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. NDRFની 20 ટીમો, ફાયર બ્રિગેડની 178 ટીમો અને ODRFની 51 ટીમો પહેલાથી જ તૈનાત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, તોફાનની અસર ઓડિશાના પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળના દિઘા, પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણામાં વધુ થઈ શકે છે. આ સ્થળોએથી લગભગ 1.5 લાખ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં કોસ્ટ ગાર્ડને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. NDRFની 9 ટીમો તૈનાત છે. દરિયાકાંઠાના વિસ્તારો દિઘા અને મંદારમણિને ખાલી કરાવવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે જણાવ્યુ કે, ચક્રવાતી તોફાન દાનાની ગંભીરતાને જોતા ચાર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. 500 QRT ટીમો તૈનાત કરવામાં આવી છે. બુધવાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે લાખ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને શાળાઓ અને સરકારી ઈમારતોમાં ખસેડવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X