Cyclone Dana : વાવાઝોડુ દાના કેટલુ ખતરનાક? જાણો બંગાળ-ઓડિશાના કિનારે કેટલો વિનાશ વેરશે?
Cyclone Dana Landfall : બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન દાના ધીરે ધીરે કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાનની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 12 લાખ લોકોને પહેલા જ સલામત સ્થળ ખસેડી દેવાયા છે.
બંગાળની ખાડીમાંથી તોફાન દાના 24 ઓક્ટોબરે કિનારા પર લેન્ડ ફોર કરશે. અહેવાલો અનુસાર દાના ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના દીધાના કિનારે ટકરાઈ શકે છે.

અહીં તમને તોફાનની તિવ્રતાનો અંદાજ એ વાત પરથી આવશે કે દાનાના કારણે ઓડિશામાં 150 અને પશ્ચિમ બંગાળમાં 198 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સિવાય શાળાઓ, કોલેજો અને હોટેલો ત્રણ દિવસ માટે બંધ રાખવાના આદેશ અપાયા છે.
બીજી તરફ પ્રસિદ્ધ યાત્રાધામ જગન્નાથ પુરીમાં શ્રદ્ધાળુઓની અવરજવર ઓછી થઈ ગઈ છે અને ત્રણ હજાર પ્રવાસીઓને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત ખસેડી દેવાયા છે.
ઓડિશાના વિશેષ રાહત અધિકારી દેવ રંજન સિંહે જણાવ્યુ કે, હવામાન વિભાગનો અંદાજ છે કે ચક્રવાતી તોફાન દાના 24 ઓક્ટોબરની મધ્યરાત્રિએ અથવા 25 ઓક્ટોબરની વહેલી સવારે પુરીના કિનારે લેન્ડફોલ કરશે.
તેમના જણાવ્યા અનુસાર, આ દરમિયાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સ્થિતિમાં માત્ર ઓડિશા જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવ્યા છે.
ઓડિશા હવામાન વિભાગ અનુસાર ચક્રવાત દાનાની અસરને કારણે પુરીમાં 23 ઓક્ટોબરથી જ વરસાદ શરૂ થશે. 25 ઓક્ટોબરે 11 ઈંચ વરસાદ પડવાની સંભાવના છે.
દાના તોફાનની અસર 29 માંથી 14 દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. NDRFની 20 ટીમો, ફાયર બ્રિગેડની 178 ટીમો અને ODRFની 51 ટીમો પહેલાથી જ તૈનાત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, તોફાનની અસર ઓડિશાના પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળના દિઘા, પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણામાં વધુ થઈ શકે છે. આ સ્થળોએથી લગભગ 1.5 લાખ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં કોસ્ટ ગાર્ડને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. NDRFની 9 ટીમો તૈનાત છે. દરિયાકાંઠાના વિસ્તારો દિઘા અને મંદારમણિને ખાલી કરાવવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે જણાવ્યુ કે, ચક્રવાતી તોફાન દાનાની ગંભીરતાને જોતા ચાર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. 500 QRT ટીમો તૈનાત કરવામાં આવી છે. બુધવાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે લાખ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને શાળાઓ અને સરકારી ઈમારતોમાં ખસેડવામાં આવ્યા છે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
