જાણો ચાની દુકાન પર કામ કરતો મદન કઈ રીતે દાતી મહારાજ બન્યો
ફતેહપુર બેરીમાં શનિધામ સંસ્થાપક મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર તેમની શિષ્યા ઘ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફતેહપુર બેરીમાં શનિધામ સંસ્થાપક મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર તેમની શિષ્યા ઘ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. દાતી મહારાજ વિરુદ્ધ દિલ્હીમાં આઇપીસી ધારા 376, 377, 354 અને 34 હેઠળ મામલો નોંધી લેવામાં આવ્યો છે. દાતી મહારાજના લાખોમાં ફોલોવર બતાવવામાં આવી રહ્યા છે અને તેમને ખુબ જ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. તેમની પાસે ઘણી સંપત્તિ પણ છે. 68 વર્ષના દાતી મહારાજ કઈ રીતે આટલા ફેમસ બાબા બની ગયા તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છે.

દાતી મહારાજના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા
રાજસ્થાનના પાલી જિલ્લાના અલાવાસ ગામમાં 1950 માં દાતીનો જન્મ થયો. દાતીનું નામ મદન રાખવામાં આવ્યું. મદનના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા. મદનના જયારે સાત વર્ષના થયા ત્યારે જ તેના માતા પિતાની મૃત્યુ થઇ ગયી. તેવામાં ખોરાક અને કામની શોધમાં મદન કોઈની સાથે દિલ્હી આવી ગયો. દિલ્હી આવીને તેને મજૂરી શરૂ કરી.

ચાની દુકાન પર કામ કર્યું
શરૂઆતમાં મદને દિલ્હી આવીને ચાની દુકાન પર મજૂરી કરી. તે દરમિયાન તેને કેટરિંગ કામ શીખ્યું અને નાની નાની પાર્ટીઓમાં તે કેટરિંગ કામ કરવા લાગ્યો. મદનના જીવનમાં બદલાવ ત્યારે આવ્યો જયારે 1996 દરમિયાન તેની મુલાકાત એક જ્યોતિષ સાથે થયી અને તેને જન્મપત્રી જોવાનું શીખી લીધું. ત્યારપછી તેને બીજું બધું કામ બંધ કરીને કૈલાશ કોલોનીમાં જ્યોતિષ કેન્દ્ર ખોલી નાખ્યું. અહીં તેને પોતાનું નામ મદન થી દાતી મહારાજ રાખી લીધું.

1998 ઈલેક્શન પછી કિસ્મત બદલાઈ
વર્ષ 1998 દિલ્હી વિધાનસભા ઈલેક્શન દરમિયાન તેમને એક ઉમેદવારની કુંડળી જોઈને તેના જીતની ભવિષ્યવાણી કરી અને તે ઉમેદવાર જીતી ગયો. આ ઉમેદવારે ખુશ થઈને તેને પુશ્તેની મંદિરની દેખરેખ કરવાનું કામ સોંપી દીધું. દાતી મહારાજની લોકપ્રિયતા ક્ષેત્રમાં ફેલાઈ ગયી. વર્ષ 2010 દરમિયાન તેમને 1008 મહામંડલેશ્વર ઉપાધિ મળી. ત્યારપછી તેમના પ્રોગ્રામ ટીવી ચેનલો પણ આવવા લાગ્યા. તેમને ઘણી જગ્યા પર પોતાના આશ્રમ, ગૌશાળા, હોસ્પિટલ અને અનાથાશ્રમ બનાવવાનું ચાલુ કરી દીધું. દિલ્હી, રાજસ્થાન સહીત ઘણા રાજ્યોમાં આજે દાતી મહારાજ ઘણું મોટું નામ બની ચૂક્યું છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
