જાણો ચાની દુકાન પર કામ કરતો મદન કઈ રીતે દાતી મહારાજ બન્યો
ફતેહપુર બેરીમાં શનિધામ સંસ્થાપક મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર તેમની શિષ્યા ઘ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફતેહપુર બેરીમાં શનિધામ સંસ્થાપક મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર તેમની શિષ્યા ઘ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. દાતી મહારાજ વિરુદ્ધ દિલ્હીમાં આઇપીસી ધારા 376, 377, 354 અને 34 હેઠળ મામલો નોંધી લેવામાં આવ્યો છે. દાતી મહારાજના લાખોમાં ફોલોવર બતાવવામાં આવી રહ્યા છે અને તેમને ખુબ જ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. તેમની પાસે ઘણી સંપત્તિ પણ છે. 68 વર્ષના દાતી મહારાજ કઈ રીતે આટલા ફેમસ બાબા બની ગયા તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છે.

દાતી મહારાજના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા
રાજસ્થાનના પાલી જિલ્લાના અલાવાસ ગામમાં 1950 માં દાતીનો જન્મ થયો. દાતીનું નામ મદન રાખવામાં આવ્યું. મદનના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા. મદનના જયારે સાત વર્ષના થયા ત્યારે જ તેના માતા પિતાની મૃત્યુ થઇ ગયી. તેવામાં ખોરાક અને કામની શોધમાં મદન કોઈની સાથે દિલ્હી આવી ગયો. દિલ્હી આવીને તેને મજૂરી શરૂ કરી.

ચાની દુકાન પર કામ કર્યું
શરૂઆતમાં મદને દિલ્હી આવીને ચાની દુકાન પર મજૂરી કરી. તે દરમિયાન તેને કેટરિંગ કામ શીખ્યું અને નાની નાની પાર્ટીઓમાં તે કેટરિંગ કામ કરવા લાગ્યો. મદનના જીવનમાં બદલાવ ત્યારે આવ્યો જયારે 1996 દરમિયાન તેની મુલાકાત એક જ્યોતિષ સાથે થયી અને તેને જન્મપત્રી જોવાનું શીખી લીધું. ત્યારપછી તેને બીજું બધું કામ બંધ કરીને કૈલાશ કોલોનીમાં જ્યોતિષ કેન્દ્ર ખોલી નાખ્યું. અહીં તેને પોતાનું નામ મદન થી દાતી મહારાજ રાખી લીધું.

1998 ઈલેક્શન પછી કિસ્મત બદલાઈ
વર્ષ 1998 દિલ્હી વિધાનસભા ઈલેક્શન દરમિયાન તેમને એક ઉમેદવારની કુંડળી જોઈને તેના જીતની ભવિષ્યવાણી કરી અને તે ઉમેદવાર જીતી ગયો. આ ઉમેદવારે ખુશ થઈને તેને પુશ્તેની મંદિરની દેખરેખ કરવાનું કામ સોંપી દીધું. દાતી મહારાજની લોકપ્રિયતા ક્ષેત્રમાં ફેલાઈ ગયી. વર્ષ 2010 દરમિયાન તેમને 1008 મહામંડલેશ્વર ઉપાધિ મળી. ત્યારપછી તેમના પ્રોગ્રામ ટીવી ચેનલો પણ આવવા લાગ્યા. તેમને ઘણી જગ્યા પર પોતાના આશ્રમ, ગૌશાળા, હોસ્પિટલ અને અનાથાશ્રમ બનાવવાનું ચાલુ કરી દીધું. દિલ્હી, રાજસ્થાન સહીત ઘણા રાજ્યોમાં આજે દાતી મહારાજ ઘણું મોટું નામ બની ચૂક્યું છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
