અમૃતસર ટ્રેન અકસ્માતઃ લોકોને બચાવવા રાવણ બનેલા આ શખ્સે પોતાનો જીવ આપી દીધો
અમૃતસરઃ ખુદનો જીવ આપી 'રાવણ'એ કેટલાય લોકોના જીવ બચાવ્યા
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં રાવણ દહનના સમયે રુવાંટાં ઉભાં થઈ જાય તેવી ઘટના બની હતી. આ ઘટનાને પગલે બધા એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. રલવેએ સ્પષ્ટ કહી દીધું કે આ મામલે અમારો કોઈ વાંક નથી, તો બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાના આદેશ આપ્યા છે જે ચાર અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. આ ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. રામલીલામાં રાવણનો રોલ નિભાવનાર દલવીર સિંહનું પણ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું છે, પરંતુ મરતાં પહેલા દલવીર સિંહ કેટલાય લોકોને જીવનદાન આપતો ગયો.

પોતાના જીવની ચિંતા કર્યા વિના કેટલાય લોકોને બચાવ્યા
જાણકારી મુજબ દલવીર સિંહ લાંબા સમયથી અમૃતસરના ચૌડા-બજારમાં થતી રામલીલામાં રાવણનો કિરદાર નિભાવતો આવ્યો છે. દશેરાના દિવસે પણ તે રામલીલામાં મંચન કરી રહ્યા હતા અને રાવણ વધ થયા બાદ ઘર જવા માટે નિકળ્યા હતા. દલવીર સિંહ ટ્રેનના પાટા પરથી ચાલીને ઘરે જઈ જ રહ્યા હતા કે તેમણે જલંધરથી પૂરપાટ ઝડપે આવતી ટ્રેનનો અવાજ સાંભળ્યો. જે બાદ દલવીર સિંહ ચીસો નાખતા નાખતા ટ્રેક તરફ દોડી આવ્યા અને લોકોને ટ્રેક પરથી હટાવવા લાગ્યા. દલવીર સિંહનો અવાજ સાંભળીને કેટલાક લોકો ટ્રેકથી હટી ગયા પરંતુ ત્યારે જ અચાનક ટ્રેન આવી ગઈ અને તેની ઝપેટમાં આવી ગયેલ દલવીર સિંહનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું.

પરિવારમાં વિધવા મા, પત્ની અને માસૂમ દીકરો
પોતાના દીકરાના મૃત્યુની ખબર સાંભળીને દલવીરની માતાનો રોઈ રોઈને ખરાબ હાલ છે. જો કે પોતાના દીકરાની બહાદુરી પર એમને ગર્વ પણ છે. પરિવારમાં દલવીરની વિધવા મા, પત્ની અને આઠ મહિનાનો દીકરો છે. દલવીરની માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એમના દીકરાના મૃત્યુથી એમના પરિવારનો સહારો છીનવાઈ ગયો છે. એમણે સરકારને દલવીરની વિધવા પત્ની માટે એક નોકરીની માગણી કરી, જેથી તે પોતાના દીકરાનું ભરણપોષણ કરી શકે. દલવીરની પત્નીનું કહેવું છે કે તેના પતિના મૃત્યુ માટે રેલવે અને પ્રશાસન બંને દોષી છે.

ઘટનામાં અત્યાર સુધીમાં 61નાં મોત
જણાવી દઈએ કે શુક્રવારે દશેરાના દિવસે અમૃતસરના ચૌડા બજારમાં રાવણ દહન દરમિયાન થયેલ ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 61 લોકો મૃત્યુ પામ્યા છે. ઘટનાને પગલે કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના એ સમયે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક અને તેની આજુબાજુમાં ઉભીને રાવણ દહન જોઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલ ટ્રેને કેટલાય લોકોને અડફેટે લઈ લીધા હતા.

મેજિસ્ટ્રેટ તપાસના આદેશ
પંજાબ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે મૃતકોના પરિજનોને 5 લાખના વળતરનું એલાન કર્યુ છે. ઘાયલોની મુલાકાત બાદ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ દૂર્ઘટનાવાળી જગ્યાએ પણ ગયા. અમરિંદર સિંહે કહ્યુ કે દૂર્ઘટના પર આરોપ-પ્રત્યારોપનો સમય નથી. બધા પક્ષોએ આ મુદ્દે એક થવાની જરૂર છે. તેમણે કહ્યુ કે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ જવાબદારી નક્કી થશે.
-
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે












Click it and Unblock the Notifications
