અડવાણીના વખાણ ભારે પડ્યા મુલાયમને, મુસ્લિમ નેતા ખફા

mulayam-singh-yadav
દેવબંદ, 10 એપ્રિલઃ ડીએમકેએ યુપીએનો સાથ શુ છોડ્યો, સપા લાઇમ લાઇટમાં આવી ગઇ. તેની દરેક હીલચાલ પર બધાની નજર ટકેલી હોય છે. સપા, કોંગ્રેસથી અંતર વધારીને ભાજપ તરફ આકર્ષિત થતી હોય તે જોવા મળતાં જ રાજકીય બજાર ગરમ થવા લાગ્યું છે. સપા મુખિયા મુલાયમ સિંહ યાદવે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીના વખાણ કરીને ભલે ભાજપ તરફ મિત્રતાનો હાથ વધાર્યો હોય પરંતુ સપાની ભાજપ સાથેની આ મિત્રતા મુસ્લિમ નેતાઓને પસંદ પડી નથી. દેવબંદના ઉલેમા મુલાયમથી ઘણા નારાજ થયા છે.

ઉલેમાએ કડક શબ્દોમાં તેને માત્ર મતોનું રાજકારણ ગણાવ્યું છે. કહ્યું છે કે મુલાયમ મુસલમાનો સાથે છલ કરી રહ્યાં છે. મૌલાના નદીમુલ વાજદીએ લાલકૃષ્ણ અડવાણીને બાબરી મસ્જિદની શહાદતના દોષી ગણાવતા કહ્યું છે કે સપા મુખિયા મુલાયમ સિંહ ભાજપના વખાણ કરીને ભૂલ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મુલાયમના નિવેદનો પરથી એવું લાગે છે કે તે રાજકીય લાભ ખાટવા માંગી રહ્યાં છે. તેમણે કહ્યું કે અડવાણીના વખાણ કરવા માત્ર મતોનું રાજકારણ છે. મુલાયમ ઇચ્છે છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ તેમની મદદ કરે.

મુલાયમ વિરુદ્ધ બોલતા દારૂલ ઉલૂમના પૂર્વ મીડિયા પ્રભારી આદિલ સિદ્દીકીએ કહ્યું કે તમામ રાજનૈતિક દળોએ મુસલમાનોનો મત બેન્કના રૂપમાં ઉપયોગ કર્યો છે. લાલકૃષ્ણ અડવાણીએ મંદિરના નામ પર તો મુલાયમ સિંહ યાદવે મસ્જિદના નામ પર મત મેળવ્યા છે. મુસ્લિમ નેતાઓએ માન્યું કે મુલાયમ સિંહનું અડવાણીના વખાણ કરવા એ નિંદનીય છે. મુસલમાનોએ તેમનો જોરદાર વિરોધ કરવો જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X