માત્ર નેતાઓની જ માનહાનિ?, શું દેશના કરોડો નાગરિકોની કોઈ ઈજ્જત નથી?: CM ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માનહાનિ કેસ માટે માનસાની એક કોર્ટમાં હાજર થયા હતા. જાણો અહીં તેમણે પત્રકારોને શું કહ્યુ.
માનસાઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માનહાનિ કેસ માટે માનસાની એક કોર્ટમાં હાજર થયા હતા. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે, 'પૂર્વ ધારાસભ્ય નાજર સિંહ માનશાહિયાએ તેમના પર માનહાનિનો કેસ કર્યો છે. શું માત્ર નેતાઓની માનહાનિ થાય છે, આમણે 70 વર્ષથી દેશના કરોડો નાગરિકોની માનહાની કરી છે તેનુ કોઈ મોલ નથી, કોઈ ઈજ્જત નથી. અરવિંદ કેજરીવાલ કંઈ કહે, સંજય સિંહ કંઈ બોલી દે, ભગવંત માન કંઈ કહી દે તો માનહાનિ. એકલુ આમનુ જ માન રહી ગયુ છે બસ.'

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે નજર માનશાહિયાને 1.5 લાખ લોકોએ વોટ આપીને ધારાસભ્ય બનાવ્યા હતા પરંતુ જો તે લોકોને પૂછ્યા વિના કોંગ્રેસમાં ગયા તો શું તે 1.5 લાખ લોકોની બદનામી નથી થઈ. તેમનુ કોઈ માન નથી. આ એક મજાક બનાવી દીધી છે. આપણા વડીલોને કોર્ટ, તહેસીલ, પોલીસ સ્ટેશનમાં રઝળપાટ કરવાની ફરજ પડે છે, શું તેમની કોઈ માનહાનિ નથી થતી. માને કહ્યુ કે આ ખૂબ જ દુઃખની વાત છે કે અરવિંદ કેજરીવાલ સામે માનહાનિના 15-16 કેસ ચાલી રહ્યા છે કે તેમણે આમ-તેમ બોલ્યુ, પરંતુ તેમના નેતાઓ જે બોલી રહ્યા છે, દેશના ભાગલા પાડવામાં લાગેલા છે, જે કહે છે આમને ગોળી મારી દો, હું તે શબ્દ પણ બોલી નથી શકતો, પરંતુ તેમને Z પ્લસ સુરક્ષા. કેજરીવાલને આતંકવાદી કહેવામાં આવે છે, પરંતુ શું આતંકવાદી શાળાઓ બનાવે છે, મફત વીજળી આપે છે, કોલેજો બનાવે છે કે રસ્તાઓ કે હૉસ્પિટલો બનાવે છે. તેનો અર્થ કેજરીવાલની કોઈ ઈજ્જત નથી, નથી, તેમની કોઈ માનહાનિ નહિ.
સીએમ ભગવંત માને કહ્યુ કે તેઓ કોર્ટનુ સન્માન કરે છે. સીએમ સેશન્સ કોર્ટથી મોટા નથી. જ્યારે કોર્ટ તેમને ગમે ત્યારે બોલાવી શકે છે અને તેઓ આવશે. માને કહ્યુ કે આ લોકો દબાતા લોકોને વધુ દબાવે છે. હવે જે કોંગ્રેસમાં હતા તેઓ પંજાબના પૈસા લૂંટીને ભાજપમાં એટલા માટે ગયા કે હવે બચી જશે. શું આનાથી પંજાબની પ્રજાની કોઈ માનહાનિ નથી થઈ? માને કહ્યુ કે મને આશ્ચર્ય થાય છે કે તેઓ વાત-વાતે કહે છે કે મારી માનહાનિ કરી દીધી.
માને કહ્યુ કે ધારાસભ્ય નાજર સિંહ માનશાહિયા ગામ ફફડામાં એક ટૂર્નામેન્ટમાં ગયા હતા. તેમને ત્યાં બોલવા દેવામાં ન આવ્યા તો ત્યાં લોકો પર માનહાનિ કરે. કોંગ્રેસ ટિકિટ ના આપે તો રાહુલ ગાંધી પર માનહાનિ કરે. પાર્ટી ફંકશનમાં ખુરશી ન મળે તો ત્યાં માનહાનિ કરે. માનહાનિની મજાક બનાવી દીધી છે. મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે વાસ્તવમાં કોંગ્રેસને માનહાનિની કોઈ સમસ્યા નથી. તે ભગવંત માન હાનિનુ દુઃખ છે. આ તેમનાથી સહન નથી થતુ. લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે અને હું કરીશ. દિલ્લી અને પંજાબ પછી ગુજરાત જઈ રહ્યા છીએ. માને કહ્યુ કે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ. આવી માનહાનિઓ તો થતી રહે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
