બિઝનેસ બ્લાસ્ટર્સના છાત્રોને દિલ્લીની સરકારી યુનિવર્સિટીઓમાં ડાયરેક્ટ એડમિશન
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે બિઝનેસ બ્લાસ્ટર્સના વિદ્યાર્થીઓને દિલ્હીની સરકારી યુનિવર્સિટીઓમાં સીધો પ્રવેશ મળશે.
નવી દિલ્લીઃ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે બિઝનેસ બ્લાસ્ટર્સના વિદ્યાર્થીઓને દિલ્હીની સરકારી યુનિવર્સિટીઓમાં સીધો પ્રવેશ મળશે. તેઓ શુક્રવારે નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી (NSUT) ખાતે બિઝનેસ બ્લાસ્ટર્સની 126 ફાઇનલિસ્ટ ટીમોના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં હાજરી આપવા માટે હતા. દિલ્હી સરકારની પાંચ યુનિવર્સિટીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 400 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ અવસરે નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે શાળાકીય શિક્ષણ પછી હવે ઉચ્ચ શિક્ષણ માટે આપણા બિઝનેસ બ્લાસ્ટર્સની યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે વિદ્યાર્થીઓ હવે જે પણ પગલું ભરશે તેની અસર દેશના અર્થતંત્ર પર પડશે. તેમણે કહ્યુ કે દરેક યુગની પોતાની જરૂરિયાત હોય છે. એવો સમય પણ હતો જ્યારે શાળાઓમાં બાળકોને લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી કારણ કે તે એ યુગની જરૂરિયાત હતી. પરંતુ હાલમાં ભારતના સંદર્ભમાં આપણે આપણી શાળાઓમાં બાળકોમાં સાહસિકતાની માનસિકતા કેળવી રહ્યા છીએ. દેશની અર્થવ્યવસ્થાને ટોચ પર લાવવા અને બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે આ યુગની જરૂરિયાત છે.
ઓરિએન્ટેશન કાર્યક્રમમાં દિલ્હી વિધાનસભાની એજ્યુકેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આતિષી અને કાલકાજીના ધારાસભ્ય, મુખ્ય શિક્ષણ સલાહકાર શૈલેન્દ્ર શર્મા, એનએસયુટીના કુલપતિ પ્રો.જે.પી.સૈની, ડીએસઈયુના કુલપતિ પ્રો. નિહારિકા વ્હોરા અને આઈજીડીટીડબલ્યુના વાઇસ ચાન્સેલર ડો.અમિતા દેવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં દેશના 120 મિલિયન યુવાનો બેરોજગાર છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે વિશ્વની 20 ટકા ગરીબ વસ્તી ભારતમાં છે. આપણા દેશના 27 કરોડ લોકો રોજની 35 રૂપિયાથી ઓછી કમાણી કરે છે અને દેશના 12 કરોડ યુવાનો બેરોજગાર છે. બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોની માથાદીઠ વાર્ષિક આવક છ લાખ રૂપિયા, અમેરિકાની 45 લાખ રૂપિયા છે જ્યારે ભારતની માથાદીઠ આવક માત્ર એક લાખ છે.
આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ ભવિષ્યમાં જે કંઈ પણ કરશે તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડશે. સિસોદિયાએ કહ્યુ કે વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી યુનિવર્સિટીઓએ એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓ નોકરી શોધનારા નહિ પરંતુ નોકરી આપનારાઓ બનાવે છે.
આ યુનિવર્સિટીઓમાં મળશે એડમિશન
નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી ફોર વુમન, દિલ્હી કૌશલ્ય અને સાહસિકતા યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી, દિલ્હી ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી, ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, દિલ્હી.
આ કોર્સ માટે છે ઑફર
યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવતા અભ્યાસક્રમોમાં લગભગ 40 અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે જેમ કે ઇનોવેશન આંત્રપ્રિન્યોરશિપ અને વેન્ચર ડેવલપમેન્ટમાં બીબીએ, ડીજીટલ મીડિયામાં બીબીએ અને ડીઝાઇનમાં બીએ, બીસીએ, બીએસસી ડેટા એનાલિટિક્સ. આમાંના મોટાભાગના અભ્યાસક્રમો માટે 50% માર્ક્સ સાથે 12મુ પાસ કરવુ જરૂરી છે. કેટલાક ટેકનિકલ અભ્યાસક્રમો માટે ચોક્કસ લાયકાત છે. જેમ કે DPSRU માં BBA હેલ્થકેર, 11-12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ હોવો જરૂરી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
