દિલ્લી દારુનીતિ કૌભાંડઃ EDએ દિલ્લી-પંજાબમાં ફરીથી પાડી રેડ, CM કેજરીવાલે કહ્યુ - ગંદા રાજકારણ માટે...'
દિલ્લી આબકારી નીતિ મામલે પ્રવર્તન નિર્દેશાલય(ઈડી)એ દિલ્લી અને પંજાબમાં લગભગ ત્રણ ડઝન ઠેકાણે રેડ પાડી છે. જેના પર સીએમ કેજરીવાલે કટાક્ષ કર્યો છે.
નવી દિલ્લીઃ દિલ્લી આબકારી નીતિ મામલે પ્રવર્તન નિર્દેશાલય(ઈડી)એ દિલ્લી અને પંજાબમાં લગભગ ત્રણ ડઝન ઠેકાણે રેડ પાડી છે. શુક્રવારે સવારે ઈડીએ હવે ખતમ થઈ ચૂકેલ દિલ્લી આબકારી નીતિ મામલે કથિત અનિયમિતતાઓ અંગે દિલ્લી અને પંજાબમાં લગભગ ત્રણ ડઝન સ્થાને રેડ પાડી છે. ખાસ કરીને આ રેડ મની લૉન્ડ્રીંગ મામલે સીબીઆઈની એફઆઈઆર પર આધારિત છે. બંને કેન્દ્રીય એજન્સીઓએ અત્યાર સુધી આ મામલે ઘણા સર્ચ અભિયાન ચલાવ્યા છે.

અરવિંદ કેજરીવાલે સાધ્યુ નિશાન
શુક્રવારે સવારે શરુ થયેલા રેડના સમાચાર પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર કટાક્ષ કર્યો છે. કેન્દ્ર સરકાર પર અપ્રત્યક્ષ રીતે કટાક્ષ કરીને કેજરીવાલે કહ્યુ, 'ઘણા અધિકારીઓનો સમય એમની ગંદી રાજનીતિ માટે બરબાદ કરવામાં આવી રહ્યો છે.
'આ રીતે દેશ કેવી રીતે કરશે વિકાસ'
આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ, '500થી વધુ રેડ, 3 મહિનાથી સીબીઆઈ/ઈડીના 300થી વધુ અધિકારી 24 કલાક લાગેલા છે. એક મનીષ સિસોદિયા સામે પુરાવા શોધવા માટે. કંઈ નથી મળી રહ્યુ. કારણકે કંઈ કર્યુ જ નથી. પોતાની ગંદી રાજનીતિ માટે આટલા અધિકારીઓનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. આ રીતે દેશ કેવી રીતે વિકાસ કરશે?'
500 से ज़्यादा रेड, 3 महीनों से CBI/ED के 300 से ज़्यादा अधिकारी 24 घंटे लगे हुए हैं- एक मनीष सिसोदिया के ख़िलाफ़ सबूत ढूँढने के लिए। कुछ नहीं मिल रहा। क्योंकि कुछ किया ही नहीं
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 7, 2022
अपनी गंदी राजनीति के लिए इतने अधिकारियों का समय बर्बाद किया जा रहा है। ऐसे देश कैसे तरक़्क़ी करेगा? https://t.co/VN3AMc6TUd












Click it and Unblock the Notifications
